બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 10:02 PM, 8 January 2023
અમદાવાદમાં દિવસને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેના કારણે પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યાં છે. કૃષ્ણનગરમાં આ અમાસાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. નશામાં ઘુત અસમાજિક તત્વોએ 4 યુવકો પર તલવાર, લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ચાર યુવકો જે કારમાં જઈ રહ્યાં હતા તેમાં પણ તોડફોડ કરી હતી. કૃષ્ણનગરમાં આવેલી સેંટ મેરી સ્કૂલ પાસેનો બનાવ છે. આ અમાસાજિક તત્વોના આતંકનો વીડિયો સામે આવ્યો છે. લાકડી, તલવાર અને ધોકા વડે અસમાજિક તત્વો ખુલ્લેઆમ હુમલો કરે છે. આ લુખ્ખાતત્વો આ ચારેય યુવકને મારીને ફરાર થઈ જાય છે. હાલ ચારેય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ચારેય યુવકના માતા-પિતા હાલ ન્યાયની માંગણી કરી રહ્યાં છે.
કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક
ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો ન્યાયની ઝંખના કરી રહ્યાં છે. ચારેય યુવકોને તલવાર અને ધોકાથી પુષ્કળ માર મારવામાં આવ્યો છે. નશામાં ઘુત લુખ્ખા તત્વોએ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવાર દ્વારા કૃ્ષ્ણનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદને 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. પોલીસ સામે પણ હવે અનેક સવાલો થઈ રહ્યાં છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવારના સભ્યો પોલીસ પર આક્ષેપ કરી રહ્યાં છે કે, અમે ફરિયાદ નોંધાવી છે તેમ છતાં પોલીસ આ મામલે નિષ્ક્રિયતા દાખવી રહી છે.
અસામાજિક તત્વો હથિયાર સાથે રોડ પર ઉતર્યા
પરિવારના સભ્યો કહી રહ્યાં છે કે, અમારા દિકરાઓ માત્ર નાસ્તો કરવા ગયા હતા અને આ ઘટના ઘટી છે. ઘાતકી હથિયારો વડે આ અમાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો અને અમારા દિકરાને માર માર્યો છે. આવા ઘાતકી હથિયારો આ લુખ્ખાઓ પાસે રાત્રે આવ્યા ક્યાંથી અને પોલીસ પેટ્રોલિંગની વાતો કરે છે ત્યારે આ સમયે પોલીસ ક્યાં પેટ્રોલિંગ કરતી હતી. અમારે માત્ર ન્યાય જોઈએ છે.
અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
વિકસતા જતા અમદાવાદમાં ક્રાઈમ પણ વિકસી રહ્યો છે. કૃ્ષ્ણનગરમાં યુવકોને જે માર મારવામાં આવ્યો તે જોઈને યુવતીઓ કહી રહી છે કે જો યુવકોને આટલો માર માર્યો તો અમને તો અમારી સલામતીનું શું? આવા લુખ્ખા તત્વોને સામે પોલીસ કાર્યવાહી ક્યાંરે કરશે?, શું ખરેખર અમદાવાદ સલામત છે?.
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh