બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Vishnu
Last Updated: 11:04 PM, 16 August 2022
ગુજરાત રમખાણોને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડની અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તિશ્તા શેતલવાડ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી.તિશ્તાની જામીન અરજી સામે SITના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો હુકમ અને કેસના ક્લોઝર રિપોર્ટના દસ્તાવેજો વધુ હોવાથી સમયની માંગણી કરવામાં આવી હતી. તિસ્તા દ્વારા કેસની ઝડપી સુનાવણીમાં માંગ પણ કરવામાં આવી છે. કોર્ટે સમય આપતા વધુ સનાવણી 15 જુલાઇએ થશે.
સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી
આપને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણ કેસમાં ગુલબર્ગ સોસાયટીના મામલે અહસાન જાફરીની મોત થયું હતું. તેમણી પત્ની SITની તપાસ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પણ તે તપાસને સાચી ઠેરવતા ગઈકાલે શુક્રવારે જ સુપ્રીમ કોર્ટ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જે લોકો કાયદા સાથે રમત રમે છે તેમની સામે કાર્યવાહી કરવી જરુંરી બને છે. આ અગાઉ ગુજરાત સરકારે પણ કોર્ટમાં કહ્યું હતું કે એનજીઓની ૨૦૦૭માં જે આર્થિક સ્થિતિ હતી તેની તુલનાએ ગુલબર્ગ સોસાયટીના મ્યુઝિયમ બનાવવાની પ્રપોઝલ બાદ તે ઘણી ધનવાન બની હતી.
તિસ્તા સેતલવાડ સામે આરોપ શુ ?
તિસ્તા સેતલવાડ કેસની SIT કરશે તપાસ
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમારની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે.
તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમમાં કોણ?
સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા
મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.
મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
તિસ્તા સેતલવાડની ધરપકડ બાદ 2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું હતું કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી
ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો તિસ્તાનો ઉદ્દેશ-DCP, ક્રાઈમ બ્રાન્ચ
તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું હતું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો. જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે.
આર.બી.શ્રીકુમાર પર આરોપ શું?
સંજીવ ભટ્ટ પર આરોપ શું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh