બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 02:28 PM, 16 April 2023
વિશ્વભરમાં મંદીને કારણે અનેક દિગ્ગજ ટેક કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. મેટા, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટ્વિટર જેવી અનેક ટેક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. તાજેતરમાં એમેઝોન અને ગૂગલના CEOએ કંપનીએ કરેલ છટણી બાબતે રજૂઆત કરી છે. આ કંપનીઓના CEOએ આપેલ નિવેદન પરથી લાગી રહ્યું છે કે, એમેઝોન અને ગૂગલમાં છટણી પૂર્ણ થઈ નથી.
ગૂગલના CEOનું નિવેદન
ગૂગલના CEO સુંદર પિચાઈએ એક મીડિયા હાઉસને જણાવ્યું છે કે, ગૂગલ કંપનીના કામ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. કામ અને બેઝને વધુ કુશળ બનાવવા માંગી રહ્ય છીએ. જે માટે કામની સિસ્ટમનું પુન:નિર્માણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ સાથે કંપની પોતાની કમાણી અને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવાની કોશિશ કરી રહી છે. કામમાં કોઈપણ પ્રકારનું અડચણ ના આવે અને યોગ્ય પ્રકારે સેવિંગ થઈ શકે તે માટેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
છટણી બાબતે પિચાઈનું નિવેદન
સુંદર પિચાઈએ નિવેદન આપ્યું છે કે, કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કંપની માટે ખૂબ જ અઘરો હતો. ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ જેવી ટેકનિક પર વધુમાં વધુ ખર્ચો કરવાનું વિચારી રહ્યું છે. ગૂગલના કામને વધુ કુશળ બનાવવાનું લક્ષ્ય છે. સુંદર પિચાઈએ આ પ્રકારનું નિવેદન આપીને કંપનીમાં થનાર છટણી તરફ ઈશારો કર્યો છે. જાન્યુઆરીમાં ગૂગલે કુલ 12,000 કર્મચારીઓની છટણીનો નિર્ણય કર્યો હતો.
એમેઝોનના CEO એંડીનું નિવેદન
એમેઝોનના CEO એંડી જેસ્સીએ શેરહોલ્ડરને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, ‘કંપનીના 27,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય મુશ્કેલ હતો પરંતુ જરૂરી હતો. જેની લાંબા ગાળે અસર જોવા મળશે. કંપનીએ અનેક મુશ્કેલભર્યા સમયનો સામનો કર્યો છે અને આવનારા સમયમાં પણ કંપની આગળ વધશે. કંપની તમામ ટીમનું વેલ્યુએશન કરશે અને કામના પરિણામ અનુસાર નિર્ણય લેશે. જરૂરિયાત અનુસાર નવા કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવશે.’
ગૂગલ અને એમેઝોન હજુ પણ કરી શકે છે છટણી
સુંદર પિચાઈ અને એંડી જેસ્સીએ છટણી બાબતે સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ છટણી કરવાનો ઈશારો કર્યો છે. કંપની કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરશે. આ બંને કંપનીઓમાં ખર્ચામાં ઘટાડો કરીને AI જેવી ટેકનિક પર વધુ ખર્ચ કરવાની કોશિશ કરી રહી છે. ટેક સેક્ટર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં 500થી વધુ ટેક કંપનીઓએ લાખો કર્મચારીઓની છટણી કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh