બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Team India's problem will end in Test! This young star player who excelled in IPL will enter

ક્રિકેટ / ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની સમસ્યાનો આવશે અંત! IPLમાં કમાલ કરનાર આ યુવા સ્ટાર ખેલાડીની થશે એન્ટ્રી

Megha

Last Updated: 01:40 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સ્ટાર ખેલાડી એ ટીમ ઈન્ડિયા માટે 100 ટેસ્ટ મેચ રમવાનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો પણ WTC ફાઈનલમાં હાર બાદ હવે તે ખેલાડીના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી છે.

  • ટેસ્ટ ક્રિકેટમાં એક સ્થાનને લઈને ઘણી ચિંતિત છે ટીમ ઈન્ડિયા 
  • કેટલાક સમયથી આ સ્ટાર ખેલાડી ફ્લોપ સાબિત થયો છે
  • WTC ફાઈનલમાં હાર બાદ હવે તેના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી

ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં એક સ્થાનને લઈને ઘણી ચિંતિત છે. વાત એમ છે કે રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી આ સ્થાન એક એવા ખેલાડી દ્વારા સંભાળવામાં આવ્યું હતું જેણે ટીમ ઈન્ડિયા માટે 100 ટેસ્ટ મેચ રમવાનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો હતો. પણ છેલ્લા કેટલાક સમયથી સ્ટાર ખેલાડી ફ્લોપ સાબિત થયો છે આ જ કારણ છે કે WTC ફાઈનલમાં હાર બાદ હવે તે ખેલાડીના વિકલ્પને લઈને ચર્ચા થઈ રહી છે. 

ટીમ ઈન્ડિયામાં ત્રીજા નંબરની પોઝિશન પર ચેતેશ્વર પૂજારાના ખરાબ ફોર્મની વાત થઈ રહી છે. પૂજારાજે મિસ્ટર ટ્રસ્ટવર્ધી, દીવાર જેવા નામોથી ઓળખાય છે. પણ 2020 થી પૂજારાનું બેટ કામ કરી રહ્યું છે. 28 ટેસ્ટની 52 ઇનિંગ્સમાં તેની સરેરાશ 29ની આસપાસ રહ્યું છે જો કે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશ શ્રેણીમાં તેની 102 અણનમ ઈનિંગ અને 90 રનનો પણ સમાવેશ થાય છે. જો તેમને દૂર કરવામાં આવે તો પૂજારાની એવરેજ માત્ર 26 રહી જાય છે. હવે આ જ કારણ છે કે તેના વિકલ્પ નામની ચર્ચા થઈ રહી છે. 

એક રિપોર્ટમાં આ વાત વિશે ખુલાસો પણ થયો છે. ટીમ ઈન્ડિયામાં ઓવલની હાર બાદ કેટલાક ચોંકાવનારા નિર્ણયો જોવા મળી શકે છે. તેમાં સૌથી મોટો ખતરો ચેતેશ્વર પૂજારા પર મંડરાયેલો છે. એપુજારા ખરાબ ફોર્મના કારણે બહાર થઈ શકે છે અને ટીમ મેનેજમેન્ટ યશસ્વી જયસ્વાલને તેના સ્થાને ચાન્સ આપી શકે છે. 

યશસ્વીએ 2023ની IPL સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયામાં તેના ડેબ્યૂની માંગ સતત વધી રહી છે. આ ડાબા હાથના ખેલાડીએ માત્ર IPLમાં જ નહીં પરંતુ ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફીમાં પણ પોતાની જાતને સાબિત કરી છે. હાલ રિષભ પંત ઈજાગ્રસ્ત છે તેથી ભારતને પણ ડાબા હાથના બેટ્સમેનની જરૂર છે. એવામાં યશસ્વી ટીમ ઈન્ડિયા માટે આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ