બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Sun sets on Chandrayaan-3 as Moon goes back into frigid darkness
Hiralal
Last Updated: 04:59 PM, 2 October 2023
ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું હવે શું થશે? આ સવાલનો જવાબ કદાચ હવે આપવો આઘરો છે. ચંદ્ર પર ફરી પાછી લોહી જમાવતી ઠંડી સાથે રાતની શરુઆત થઈ છે જે પૃથ્વીના 14 દિવસ રહેશે. આવી સ્થિતિમાં હવે તે ફરી એક્ટિવ થશે કે નહીં, તે એક મોટો સવાલ છે. સફળતાપૂર્વક કામ પૂરુ કરીને 14 લૂનર નાઈટમાં સ્લીપ મોડમાં રહ્યાં બાદ વિક્રમ અને રોવર જાગ્યા નથી.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 22, 2023
Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition.
As of now, no signals have been received from them.
Efforts to establish contact will continue.
ચંદ્ર પર રાતને કારણે શિવશક્તિ પોઈન્ટ અંધારામાં
ચંદ્ર પર સૂર્ય આથમી ગયો છે. આ સાથે ચંદ્રયાન 3ના રોવર અને લેન્ડરના ફરીથી જાગવાની આશા પણ ધૂંધળી થતી દેખાઈ રહી છે. ચંદ્ર પર રાત પડ્યા બાદ શિવશક્તિ પોઈન્ટ ફરી અંધકારમાં ગરકાવ થઈ ગયો છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન 3 લેન્ડ થયું હતું. ચંદ્ર પરની રાત પૃથ્વીના 14 દિવસ બરાબર છે. 30 સપ્ટેમ્બરથી શિવશક્તિ પોઇન્ટ પર સૂર્યપ્રકાશ ઓછો થવા લાગ્યો હતો.
ઘણા પ્રયાસો કરાયા છતાં જાગી ન શક્યાં
મિશન પૂર્ણ થયા બાદ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર, પ્રજ્ઞાન અને વિક્રમને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. તે સમયે ચંદ્ર પર રાત થવાની હતી અને ત્યાંની રાતો એકદમ ઠંડી હોય છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 14 દિવસનું ચક્ર પૂર્ણ થયા બાદ જ્યારે સૂર્ય ફરીથી ઉગશે, ત્યારે પ્રજ્ઞાન અને વિક્રમ ફરીથી સક્રિય થશે. બેંગલુરુથી યુરોપિયન સ્ટેશનો કોરુ અને એસ્ટાર્ક દ્વારા તેને જગાડવાના પ્રયાસો કરાયા હતા જોકે તે જાગી શક્યા નહોતા.
ચંદ્રયાન-3નો ટૂંકો ઈતિહાસ
23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ થયું હતું. આ પછી, ભારત આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3 જ્યાં લેન્ડ થયું હતું તેને શિવશક્તિ પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે. તે માન્ઝિનુસ સી અને સિમ્પ્લિયસ એન ક્રેટર્સ વચ્ચે ઉત્તર ચંદ્ર ધ્રુવથી લગભગ 4200 કિમી દૂર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime