બ્રેકિંગ ન્યુઝ
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
Last Updated: 07:01 AM, 9 May 2024
જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં કાશીની જેમ અનેક શિવાલયો આવેલા છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. જામનગરની શાન ગણાતા આ મંદિરની સ્થાપનાને 130 વર્ષ જેટલો સમય થયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મંદિરમાં શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય તેવા ભારતમાં માત્ર બે જ મંદિર છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ, અને બીજું જામનગરમાં. આવું જ એક મંદિર નેપાળમાં પશુપતિનાથ મહાદેવનુ પણ છે. મહાશિવરાત્રીમાં મંદિરે મહાદેવજીની ચાર પહોરની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ભાવિકોનુ ઘોડાપુર ઉમટી પડે છે અને ભાવિકોને મહાદેવજીના અલગ અલગ શૃંગારના દર્શન પણ કરાવવામાં આવે છે...
જામનગરનુ કાશી વિશ્વનાથનુ મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યુ છે મંદિરના દરેક સ્તંભ પર દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સજાવવામાં આવી છે અનેક રંગોથી રંગાયેલુ મંદિર ખૂબ જ આકર્ષિત લાગે છે.ભાવિકો નિયમિત મહાદેવના મંદિરે આવી શિવલીંગ પર જળાભિષેક અને પૂજન અર્ચન કરી ધન્ય થાય છે દરેક ભાવિકોને ગર્ભગૃહમાં પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજીયાત છે.
આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચના, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવ્યુ હતુ. મહાદેવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જામનગરવાસીઓ વર્ષોથી નિયમિત કાશીવિશ્વનાથના દર્શન કરવા આવે છે
આ પણ વાંચોઃ બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર
તે સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિરની જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દરેક તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે જેમાં શહેરના યુવાન વડીલો ભાગ લઈ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે.
જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર 72 સ્તંભ પર ઉભેલું છે. જેની રચના ચોપાટની જેમ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઇને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT