બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / shubman gill given ultimatum by team management before india vs england visakhapatnam test gill century in ind vs eng vizag test tspo

ક્રિકેટ / શુભમન ગિલનું પત્તું કટ થવાનું નક્કી જ હતું! ટીમ મેનેજમેન્ટની વોર્નિંગવાળી વાત થઈ 'આઉટ', ખુલાસાથી સૌ કોઈ ચોંકયા

Dinesh

Last Updated: 08:45 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: શુભમન ગિલની છેલ્લી અડધી સદી માર્ચ 2023માં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં 128 રનની સીધી ઇનિંગ રમીને સદી ફટકારી હતી

  • ગિલે 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં એકપણ અર્ધશતક ફટકારી ન હતી
  • આ મેચ બાદ ગિલને ટીમમાંથી હટાવવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી
  • મેચના ત્રીજા દિવસે ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી 


ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં સ્ટાર ખેલાડી શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.પરંતુ આ દરમિયાન એક ખુલાસો સામે આવ્યો છે કે, આ મેચ બાદ ગિલને ટીમમાંથી હટાવવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. તેનું કારણ ગિલનું ખરાબ ફોર્મ હતું. ગીલે છેલ્લી 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં એકપણ અર્ધશતક ફટકારી ન હતી.

સતત નિષ્ફળતા હાથે લાગી હતી
શુભમન ગિલની છેલ્લી અડધી સદી માર્ચ 2023માં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં 128 રનની સીધી ઇનિંગ રમીને સદી ફટકારી હતી. આ જ કારણ હતું કે ટીમ મેનેજમેન્ટે ગિલને સતત તક આપવા અને હજુ પણ રન ન બનાવવાને કારણે આકરો નિર્ણય લીધો હતો. એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટે શુભમનને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો ગિલ વિઝાગ ટેસ્ટ મેચમાં નંબર-3 પર રમી શકશે નહીં તો આ તેની છેલ્લી તક હશે. જો તે નિષ્ફળ જશે તો શુભમન ગીલને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા જવું પડશે.

વાંચવા જેવું: મેચનો મજેદાર ફોટો: હેલમેટ પહેરીને મેચ જોઈ રહેલા કાકાની તસવીરે મચાવી ધૂમ, તમે પણ જોઈ જ લો

ટીમ મેનેજમેન્ટ તરફથી ચેતવણી મળી હતી
શુભમને તેની ભૂલો સુધારવામ બીજી અને ત્રીજી ટેસ્ટ દરમિયાન ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું. જે સ્થિતિમાં તે 9 ફેબ્રુઆરીથી મોહાલીમાં ગુજરાત સામે પંજાબ તરફથી રમી રહ્યો હોત. ટીમ મેનેજમેન્ટ તરફથી ચેતવણી મળ્યા બાદ શુભમન ગિલે તેના પરિવારને પણ આ વાત જણાવી હતી. અહેવાલો મુજબ ગિલે તેના પરિવારને કહ્યું હતું કે, હું મોહાલી જઈશ અને ગુજરાત સામે રણજી ટ્રોફી મેચ રમીશ. આ રીતે ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી તમને જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલ સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યો હતો. જોકે તે સમયે તે માત્ર 34 રન જ બનાવી શક્યો હતો. 
    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ