બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Shravan Mass 2023 bring five lucky plants at home

આસ્થા / શ્રાવણ માસમાં ઘરે લગાવો આ 5 ચમત્કારિક છોડ, ખુલી જશે તમારા ભાગ્યના દરવાજા

Arohi

Last Updated: 09:36 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucky Plants: વાસ્તુ શાસ્ત્રમાં પણ શ્રાવણ સાથે જોડાયેલા ઘણા ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર શ્રાવણમાં ઘરના આસ-પાસ અમુક લકી છોડ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે.

  • વાસ્તુ અનુસાર શ્રાવણમાં કરો આ કામ 
  • ઘરે લગાવો ખાસ આ 5 છોડ 
  • ખુલી જશે કિસ્મતના દરવાજા 

ભગવાનને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવની સાચ્ચા મનથી પૂજા-અર્ચના કરતા લોકોની કિસ્મતના દરવાજા ખુલી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ શ્રાવણ સાથે જોડાયેલા ઘણા ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં ઘરની આસ-પાસ અમુક ચમત્કારી છોડ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે. તેમાંથી અમુક છોડને તમે ઘરની અંદર કે છત પર પણ લગાવી શકો છો. આ છોડ ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. 

તુલસીનો છોડ 
તેને શ્રાવણના મહિનામાં કે કાર્તકના મહિનામાં લગાવવો સર્વોત્તમ માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની વચ્ચો વચ્ચ લગાવવો જોઈએ. વૈવાહિક જીવન સારૂ ચાલે તે માટે, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે નિયમીત તેના નીચે ઘીનો દિવો કરો અને તેની પરિક્રમા કરો. 

નિયમિત સાંજે ખાલી પેટ તુલસીના પાન અને બીજ ખાવાથી સંતાન ઉત્પત્તિની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તેનાથી વાણી અને બુદ્ધિ અત્યંત પ્રખર થાય છે. 

કેળાનો છોડ 
શ્રાવણની એકાદશીએ કે બૃહસ્પતિવારે કેળાનો છોડ લગાવી શકાય છે. કેળાનો છોડ ઘરના પાછળની તરફ લગાવવો જોઈએ સામે ક્યારેય નહીં. કેળાના છોડમાં નિયમિત જળ આપવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. કેળાના મૂળને પીળા દોરામાં બાંધીને ધારણ કરવાથી વિવાહ જલ્દી થાય છે અને બૃહસ્પતિ મજબૂત થાય છે. 

દાડમનો છોડ 
તમે ક્યારેય પણ દાડમનો છોડ લગાવી શકો છો. પરંતુ જો તેનો છોડ રાત્રે લગાવવામાં આવે તો તે ઉત્તમ રહેશે. ઘરની સામે જો દાડમનો છોડ લગાવવામાં આવે તો તે સર્વોત્તમ રહેશે. ઘરની વચ્ચે તેનો છોડ ન લગાવો. દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે. 

નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે. તેનાથી ઘર પર તંત્ર મંત્રની ક્રિયાઓ અસર નથી કરતી. દાડમના ફૂલને મધમાં ડૂબાવી જળ પ્રવાહ કરવામાં આવે તો ભારે કષ્ટ પણ દૂર થઈ જાય છે અને વ્યક્તિ તમામ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જાય છે. 

શમીનો છોડ 
શ્રાવણના કોઈ પણ શનિવારે સાંજે શમીનો છોડ લગાવવો ઉત્તમ રહેશે. ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ તેને લગાવવું શુભ હોય છે. નિયમિત રીતે શમી વૃક્ષની નીચે સરસવના તેલનો દિવો કરો. 

તેનાથી શનિની પીડા ઓછી થશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વિજય દશમીના દિવસે શમીની ખાસ પૂજા આરાધના કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધન ધાન્યનો અભાવ નથી થતો. 

પીપળાનો છોડ 
કોઈ પણ દિવસે પીપળાનું વૃક્ષ લગાવી શકાય છે. શ્રાવણનું વૃહસ્પતિવાર ઉત્તમ હશે. ઘરમાં બિલકુલ પણ પીપળો ન લગાવો. પાર્ક કે રસ્તાના કિનારે લગાવો. પીપળાનું વૃક્ષ લગાવવાથી સંતાન પ્રાપ્તિ સરળ થઈ જાય છે. 

પીપળાના મૂળમાં જળ આપવાથી અને તેમી પરિક્રમા કરવાથી સંતાન દોષ નષ્ટ થઈ જાય છે તથા ઘરમાં બીમારીઓ નથી આવતી. શનિવારના દિવસે પીપળાની નીચે સરસવના તેલનો દિવો કરવાથી વ્યક્તિની સાથે દુર્ઘટના નથી થતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ