બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Shiv Sena supreme court central government mann ki baat

ટિપ્પણી / શાહીન બાગના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શિવસેનાએ સામના પર ઉઠાવ્યાં સવાલ

Divyesh

Last Updated: 01:04 PM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાએ ખેડૂત આંદોલન સહિત તમામ મુદ્દાઓ પર ફરથી કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં શિવસેનાએ કહ્યું હતું કે આંદોલનનો અધિકાર નિરંકુશ નહી નથી ક્યારેય પણ, કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય. 

સામનામાં લખવામાં આવ્યું છે કે આંદોલનનો અધિકાર નિરંકુશ નથી. ક્યારેય પણ, કોઇપણ જગ્યાએ આંદોલન ન કરી શકાય, સુપ્રીમ કોર્ટે હવે એવું કહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શું સરકારના જ 'મન ની વાત' સામે આવી છે? ચાર દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના આંદોલનની મજાક ઉડાવી હતી. મજાક ઉડાવતા કહ્યું હતું કે કેટલાંક લોકો માત્ર આંદોલન પર જ જીવે છે. આ લોકો 'આંદોલનજીવી' છે. 

શિવસેનાએ કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે પણ પ્રધાનમંત્રી મોદીના સૂરમાં સૂર મેળવતા કહ્યું કે આંદોલનકારીઓની આંખ જોવા મળી છે. કોર્ટ કહે છે, દેશમાં અચાનક આંદોલન થઇ શકે છે. આંદોલનના નામ કોઇ લાંબા સમય સુધી સાર્વજનિક રોડ પર કબ્જો ન કરી શકે. જેના કારણે બીજા લોકોના અધિકારોને નુકસાન પહોંચે છે. 

શિવસેનાએ કહ્યું કે કોર્ટનું એવું કહેવું તર્ક સંગત છે. ગત વર્ષે દિલ્હીમાં શાહીનબાગમાં નાગરિકાત સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં આંદોલન થયું. આંદોલનકારીઓએ રોડ વચ્ચે કબ્જો કરી લીધો, જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી. જેના સંદર્ભમાં સુપ્રીમમાં એક અરજી પર સુનાવણી કરવામાં આવી. 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Shiv Sena Supreme Court પીએમ મોદી શિવ સેના સુપ્રીમ કોર્ટ Shiv Sena
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ