બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Politics / Sharad Pawar's Shocking Statement 'There Can Be Dispute In INDIA Coalition Regarding Seats'
Priyakant
Last Updated: 04:25 PM, 29 September 2023
Sharad Pawar Statement : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે INDIA ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, શરદ પવારે કહ્યું છે કે, INDIA જૂથ સીટોને લઈને સાવચેત રહેશે, જેથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગઠબંધન ભાગીદારો વચ્ચે કોઈ વિવાદ ન થાય. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં પણ ચૂંટણી યોજાશે.
STORY | INDIA bloc will take care to ensure no disputes among partners ahead of state polls: Sharad Pawar
— Press Trust of India (@PTI_News) September 29, 2023
READ: https://t.co/ClYPcPC686
(PTI File Photo) pic.twitter.com/IZGRrKVt1t
શરદ પવારે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
NCP વડા શરદ પવારે પુણે જિલ્લાના બારામતીમાં પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે મરાઠા આરક્ષણ અને ડુંગળી પર નિકાસ ડ્યુટી જેવા અન્ય ઘણા મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથેની અથડામણ અંગેના પ્રશ્નના જવાબમાં, એનસીપી સુપ્રીમોએ કહ્યું કે, કોંગ્રેસે કેટલીક બેઠકોનો દાવો કર્યો છે. જો કે હજુ સુધી ત્યાં ચૂંટણી નથી. પવારે કહ્યું કે એ વાતને નકારી શકાય નહીં કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ INDIAના સહયોગી ભાગીદારો વચ્ચે મતભેદો થઈ શકે છે. જોકે અમે આ મુદ્દાને પણ ઉકેલીશું.
કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે ચર્ચા કરશે
NCPના વડાએ કહ્યું કે, હું મુંબઈ પરત આવ્યા બાદ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરીશ. અમે એ સુનિશ્ચિત કરવાનું ધ્યાન રાખીશું કે ચૂંટણીવાળા રાજ્યોમાં ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી પર કોઈ વિવાદ ન થાય. આ પ્રક્રિયા આઠથી દસ દિવસમાં શરૂ થશે. જ્યારે મરાઠા આરક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવારે કહ્યું કે રાજ્યની શિંદે સરકારે વચન આપ્યું છે કે તે આ મુદ્દાને ઉકેલશે. હવે જોઈએ કે આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે. ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી અંગેના પ્રશ્નના જવાબમાં, NCP સુપ્રીમોએ કહ્યું કે આ ખેડૂતો સાથે અન્યાય છે. અમારી માંગ છે કે આ નિકાસ ડ્યુટી પાછી ખેંચી લેવામાં આવે. પવારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ મુદ્દે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આશા છે કે આ બેઠકના કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવશે. જો આમ નહીં થાય તો ખેડૂતોમાં બેચેની વધશે, જેના પર નિયંત્રણ નહીં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh