બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / sehwag seen movie adipurush controversial tweet on movie may put in danger
Bijal Vyas
Last Updated: 10:13 PM, 25 June 2023
Adipurush controversial tweet: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ટ્વીટના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં બોલિવૂડ ફિલ્મ આદિપુરુષને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ કડીમાં સેહવાગનું નામ પણ જોડાઈ ગયું છે. ફિલ્મ જોયા પછી ભૂતપૂર્વ ઓપનરે સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપતા કંઈક લખ્યું જે ફિલ્મ નિર્માતાઓને ખૂંચી શકે છે.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023
ટીમ ઈન્ડિયાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ સતત પોતાના મજેદાર ટ્વિટ્સને કારણે ચર્ચામાં રહે છે. રવિવારે પણ તેણે બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ' પર ટ્વિટ કર્યું હતું, જે જોતા જ વાયરલ થઈ ગયું છે. આદિપુરુષ ફિલ્મ રામાયણ પર આધારિત છે જેમાં વિવાદાસ્પદ સંવાદને કારણે વિવાદ ઉભો થયો છે. ફિલ્મમાં પ્રભાસે રામનું પાત્ર ભજવ્યું છે જ્યારે અભિનેત્રી કૃતિ સેનન સીતા માતાનું પાત્ર ભજવી રહી છે.
વીરેન્દ્ર સેહવાગે આદિપુરુષ ફિલ્મને લઈને એક કટાક્ષ કરતુ ટ્વીટ કર્યા હતા. તેણે તેને પ્રભાસની અગાઉની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલી સાથે જોડી દીધી છે. તેણે ટ્વીટમાં લખ્યું, "આદિપુરુષને જોયા પછી મને ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો હતો." આ પોસ્ટની સાથે તેણે હસતા ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે.
સેહવાગ દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ વિવાદ સર્જી શકે છે. વિવાદાસ્પદ ડાયલોગના કારણે તેના પર ઘણી જગ્યાએ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે ફિલ્મ મેકર્સને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ ફિલ્મ 600 કરોડમાં બની છે અને પહેલા અઠવાડિયામાં સારું કલેક્શન કર્યા બાદ આ ફિલ્મ ઊંધા મોઢે ધોવાઇ ગઈ છે. હવે સેહવાગ જેવી મોટી હસ્તી આવી ફિલ્મ વિશે લખે તો તેને વધુ નુકસાન થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh