બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / scst youth killed in Khanpur taluka of Mahisagar district
Kishor
Last Updated: 10:28 PM, 10 June 2023
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં દલિત યુવાનની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં હોટલે જમવાનું પાર્સલ લેવા ગયેલ યુવાન સામગ્રી બાબતે દલીલ થયા બાદ હોટલ માલિક અને તેના સ્ટાફ દ્વારા રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ નામના 45 વર્ષીય દલીલ યુવાનને આડેધડ મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવાને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવાડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને મામલો હત્યામાં પલટાયો હતો. બાદમાં પોલીસે હત્યાની કલમ નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે...
બાકોર પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા અનુસાર 45 વર્ષીય દલિત યુવાન રાજુભાઈ વણકરને માર મારવામાં આવ્યા બાદ બે દિવસ પછી તેઓએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. ઝઘડા દરમિયાન હોટલ માલિક અને તેના કર્મચારીઓ દ્વારા કથિત રીતે દલિત યુવાનની જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હોવાની પણ રાવ ઉઠી રહી છે. તો આ મામલે દલિત નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આરોપીઓને જ્ઞાતિવાદના ગુંડા ગણાવી તેઓને તાત્કાલિક દબોચી લેવા માંગ ઉઠાવી છે. આ સાથે જ જીગ્નેશ મેવાણીએ આરોપીઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપી હતી.
શુ હતો સમગ્ર કેસ?
રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ ઓટોરિક્ષા ડ્રાઈવર, 7 જૂનના રોજ જમવા માટે હોટલ ગયો હતો. જ્યા જમ્યા બાદ તેણે હોટલના કર્મચારીઓને ભોજપ પાર્સલ માટે કહ્યું હતું. આ દરમિયાન જ્યારે વણકર યુવાને પેકેડ ફૂડના સામે વાંધો ઉઠાવ્યો અને ચૂકવેલી રકમ ફૂડની માત્રા ઘણી ઓછી હોવાથી તે ને સવાલો કર્યા હતા. જેને લઈને હોટેલ માલિક અને સ્ટાફના સભ્ય બંને આરોપીઓએ તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું અને તેની વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી. જેને લઈને યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. બાદમાં યુવાનને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime