બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Scandalous incident / Naradham took 12-year-old Sagira to a friend's house in Vadodara and ruined Masum's life
Mehul
Last Updated: 05:49 PM, 12 November 2021
છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં નાની બાળકીઓ અને સગીરા સાથે દુષ્કર્મનાં બનાવો વધતા ચાલ્યા છે.સુરતના એક કેસમાં તો તત્કાલ નિકાલની જેમ એક નરાધમને 'અંતિમ શ્વાસ'સુધી જેલની કેદની સજા સંભળાવાઈ હતી.તો ગાંધીનગરના સાંતેજ-ખાત્રજ કેસમાં પણ પોલીસે એક મનો વિકૃત શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેના પર પણ કાર્યવાહી થઇ રહી છે. આટલું ઓછું હોય તેમ હવે વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.વડોદરાના યુવકે 12 વર્ષની સગીરાને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ સગીરાનું અપહરણ કરી નરાધમે માસુમ સગીરાની જિંદગી પીંખી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
અપહરણ કરી લઇ ગયો પંચમહાલ
મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતું ગુજરાત હવે મહિલાઓ માટે સુરક્ષિત રહ્યું નથી રાજ્ય ના વિવિધ શહેરો માં એક બાદ એક દુષ્કર્મના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે સંસ્કારી નગરી વડોદરા ના ડભોઇ રોડ ખાતે ગણેશ નગર માં રહેતી 12 વર્ષ ની સગીર કિશોરી ને તેના જ વિસ્તારમાં રહેતો નરાધમ જયેશ ઉર્ફે સંજય માળી એ પોતાની પ્રેમ જાળમાં ફસાવી ફરવા લઇ જવાના બહાને સગીરાનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ સગીરાને પંચમહાલના બાકરોલમાં પોતાના મિત્રના ઘરે સગીરાને ગોંધી રાખી કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પરિવાર પર આભ તૂટ્યું
સગીરા નરાધમ જયેશ ઉર્ફે સંજય માળીની ચુંગાલમાંથી છૂટી ઘરે પરત ફરતા પરિવાર દ્ધારા સગીરાની પુછપરછ કરતા સગીરાએ આપવીતી જણાવતા,પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર હકીકતની જાણ થયા બાદ પરિવારે પાણીગેટ પોલીસ મથકે જયેશ ઉર્ફે સંજય માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
આરોપી પર પોસ્કો
વડોદરાના પાણીગેટ પોલીસે અપહરણ, દુષ્કર્મ સાથે પોસ્કોની કલમ લગાવી ગુનો નોંધી ફરાર થઇ ગયેલા નરાધમ જયેશ ઉર્ફે સંજય માળીની ગણતરીના જ કલાકો માં ધરપકડ કરી લીધી હતી અને આરોપીએ કોની મદદ લીધી હતી અને અન્ય બાબતોની પૂછપરછ કરવા આરોપીના રિમાન્ડ મેળવા ની તજવીજ હાથ ધરી છે..
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime