બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saint Kashmiri Bapu of Girnar Tapobhumi passed away
Vishnu
Last Updated: 08:27 PM, 7 February 2022
પોતાની આકરા તપ અને લોકસેવા માટે જાણીતા જૂનાગઢમાં કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે.તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જ્યાં આજે વહેલી સવારે કાશ્મીરી બાપુ સ્વર્ગવાસ થયા છે.બાપુના નિધનથી સાધુ-સંતો અને સેવકો શોકાતુર છે.
97 વર્ષની વયે કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.
આવતીકાલે 11 વાગ્યે અંતિમવીધી
દાતારેશ્વર મહાદેવ મંદિરના મહંત અને નિરંજન અખાડાના સંત શિરોમણીની વિદાયથી સમગ્ર પંથકના લોકો આશ્રમ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કાશ્મીરી બાપુની આવતીકાલે 11 વાગ્યે કરાશે અંતિમવીધી કરવામાં આવશે. હાલ આશ્રમ ખાતે બાપુના દર્શન કરવા સેવકોની લાગી લાંબી કતારો લાગી રહી છે.
સાંસદ પૂનમબેન માડમે કરી પ્રાર્થના
તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર, ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી શ્રી કાશ્મીરી બાપુ આપજે અનંતની સફર પર સિધાયાના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતી અર્પે એજ પ્રાર્થના.
સાંસદ રમેશ ધડૂકે દૂ:ખ વ્યક્ત કર્યું
જૂનાગઢના ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી પૂજય શ્રી કાશ્મીરીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર સદગતના આત્માને શ્રી ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના.
સાંસદ રાજેશ ચુડાસમાએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
ગિરનારની તપોભૂમિના મહાન સંત પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર ખુબ જ દુઃખદ છે,પરમકૃપાળુ પરમાત્મા સંત શિરોમણી શ્રી કાશ્મીરીબાપુનાં દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા શાંતિ અર્પે એવી પ્રાર્થના.મહાન વિભૂતિ પરમ પૂજ્ય બાપુને કોટિ કોટિ પ્રણામ.જય ગિરનારી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime