બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saint Kashmiri Bapu of Girnar Tapobhumi passed away

સ્વવાસ / ગિરનાર તપોભૂમિના સંત કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા, આશ્રમ પર સાધુ-સંતો અને સેવકોનો અંતિમ દર્શન માટે ઘસારો

Vishnu

Last Updated: 08:27 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરી બાપુની આવતીકાલે સોમવારે 11 વાગ્યે કરાશે અંતિમવીધી, સાધુ સંતો અને સેવકોમાં શોકનું મોજુ ફરી વળ્યું

  • જૂનાગઢમાં કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા 
  • 97 વર્ષની વયે કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા 
  • 10 દિવસથી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર 

પોતાની આકરા તપ અને લોકસેવા માટે જાણીતા જૂનાગઢમાં કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે.તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જ્યાં આજે વહેલી સવારે કાશ્મીરી બાપુ સ્વર્ગવાસ થયા છે.બાપુના નિધનથી સાધુ-સંતો અને સેવકો શોકાતુર છે.

97 વર્ષની વયે કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા 
પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.

આવતીકાલે 11 વાગ્યે અંતિમવીધી 
દાતારેશ્વર મહાદેવ મંદિરના મહંત અને નિરંજન અખાડાના સંત શિરોમણીની વિદાયથી સમગ્ર પંથકના લોકો આશ્રમ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કાશ્મીરી બાપુની આવતીકાલે 11 વાગ્યે કરાશે અંતિમવીધી કરવામાં આવશે. હાલ આશ્રમ ખાતે બાપુના દર્શન કરવા સેવકોની લાગી લાંબી કતારો લાગી રહી છે.

સાંસદ પૂનમબેન માડમે કરી પ્રાર્થના
તપસાધનાની વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર, ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી શ્રી કાશ્મીરી બાપુ આપજે અનંતની સફર પર સિધાયાના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતી અર્પે એજ પ્રાર્થના.

સાંસદ રમેશ ધડૂકે દૂ:ખ વ્યક્ત કર્યું
જૂનાગઢના ભવનાથમાં આવેલ નિરંજન અખાડાના સંત શિરોમણી પૂજય શ્રી કાશ્મીરીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર સદગતના આત્માને શ્રી ચરણોમાં સ્થાન અર્પે એજ પ્રાર્થના. 

સાંસદ રાજેશ ચુડાસમાએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
ગિરનારની તપોભૂમિના મહાન સંત પરમ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર ખુબ જ દુઃખદ છે,પરમકૃપાળુ પરમાત્મા સંત શિરોમણી શ્રી કાશ્મીરીબાપુનાં દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા શાંતિ અર્પે એવી પ્રાર્થના.મહાન વિભૂતિ પરમ પૂજ્ય બાપુને કોટિ કોટિ પ્રણામ.જય ગિરનારી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ