બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Safe and assured returns to investors through government savings schemes
Kishor
Last Updated: 01:11 AM, 11 April 2023
હાલની સ્થિતિએ મોંઘવારીના આ યુગમાં બચત કરવી તમામ લોકો માટે આવશ્યક બની છે ત્યારે સરકારી બચત યોજનાઓ અઢળક છે જે મારફતે રોકાણકારોને સલામત અને ખાતરીપૂર્વકનું વળતર આપવામાં આવે છે. સરકારની કેટલીક બચત યોજનાઓ પર કર મુક્તિમાં રાહત પણ આવાપમાં આવે છે. જેને લઈને કર બચાવવા માંગતા લોકો માટે આકર્ષક રોકાણ બનાવે છે. વધુમાં ભવિષ્યની જરૂરિયાતને લઈને સહાયરૂપ પણ થઈ શકે છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) એટલે કે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ ભારત સરકારની કર બચત રોકાણ યોજના છે. જેને કોઈ પણ સ્થળે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. બીજી તરક સરકારના સમર્થનથી ચાલતી હોવાથી સો ટકા વળતરની ખાતરી પણ મળે છે અને જોખમ પણ ઓછું છે. વધુમાં નાણા મંત્રાલય દ્વારા દર ત્રિમાસિક ગાળામાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટનો વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. હાલમાં તેનો વ્યાજ દર 7.7 ટકા છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના નાની બચત યોજના છે જેમાં માસિક આવક મેળવી શકો છો. આમાં ઓછામા ઓછી રોકાણ મર્યાદા 1000 રૂપિયા છે. આમાં એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. આ એકાઉન્ટમાં રોકાણ શરૂ કર્યાના એક વર્ષ પછી સમય પહેલા બંધ કરી શકાય છે. આ અંતર્ગત હાલમાં 7.4 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ
વરિષ્ઠ નાગરિક બચત યોજના પણ સરકાર દ્વારા સમર્થિત છે જે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ યોજનાનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ પછી નિયમિત આવક મળી રહે તેવો છે. જાહેર અથવા ખાનગી ક્ષેત્રની બેંકો અને પોસ્ટ ઓફિસ દ્વારા ખાતું ખોલાવી શકાય છે અને હાલમાં 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર આ સ્કીમ દ્વારા 2 વર્ષ માટે જમા રકમ પર 7.5 ટકાના નિશ્ચિત દરે વ્યાજ આપવામાં આવે છે. જેમાં અરજી કરનાર મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5 ટકાના દરે વ્યાજ મળશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ સૌથી લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે. જેમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. આ સાથે તેમાં રોકાણ કરનારા લોકોને ટેક્સ બેનિફિટ પણ મળે છે. પીપીએફ માટેનો વ્યાજ દર દર ત્રિમાસિક ગાળામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હ PPFનો વ્યાજ દર 7.1 ટકા ચાલી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime