બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pravin
Last Updated: 08:18 PM, 11 March 2022
આ સંઘની વાર્ષિક બેઠક છે. જેમાં સંઘનું શતાબ્દી વર્ષ મનાવવાની તૈયારીઓ, 2025માં શતાબ્દી વર્ષ મનાવવા સુધી સંઘની શાખા બેગણી કરવા જેવા તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયો પર ચર્ચા થશે. જેમાં સંઘના અધિકારી ચિંતન મનન કરશે. સંઘની કર્ણાવતી બેઠકમાં શિક્ષણ સંસ્થાનોમાં ડ્રેસ કોડથી વકરેલા વિવાદ(હિઝાબ) અને PFI દ્વારા સંઘના કાર્યકર્તાઓ પર હુમલા જેવા હાલના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં 2 દિવસીય પ્રવાસ પર છે. તો અમિત શાહ પણ ગુજરાત આવી પહોંચ્યા છે.
PM મોદી બેઠકમાં ભાગ લઇ શકે છે
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની મીટિંગ આજથી(11 માર્ચ) અમદાવાદમાં શરૂ થઇ રહી છે. સંઘની આ બેઠકને પણ ગુજરાત ચૂંટણીની તૈયારીઓથી જોડીને જોવામાં આવી રહી છે. PM મોદી બેઠકમાં ભાગ લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી રોડ શો અને સંઘની મીટિંગથી નિકળેલા મંથનનો સીધો મેસેજ પાર્ટી કેડરને જશે.
સંઘ અને તેમના અલગ અલગ સંગઠનોની મહત્વપૂર્ણ લોકોની આ બેઠકમાં
કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ વર્ષના એપ્રિલથી સંઘ શિક્ષા વર્ગને સામાન્ય રીતે ચલાવવાનો નિર્ણય થશે. આરએસએસના સંઘ શિક્ષા વર્ગ-તૃતીય વર્ષ છેલ્લા 2 વર્ષોથી કોરોના મહામારીના કારણે યોજી ન શકાયું તેને પણ પૂર્ણ કરવાનો નિર્ણય થશે. RSS 100 વર્ષનું થશે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ચલાવવામાં આવી રહેલા તમામ કાર્યક્રમ જેવા પરિવાર જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, જાગૃતિ કાર્યક્રમોની પ્રગતિ રિપોર્ટ પર પણ વિચાર મંથન થશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ થશે સામેલ
આરએસએસના શતાબ્દી વર્ષ 2025 પહેલા 1 લાખ સુધી સંઘની શાખાઓના વિસ્તારની યોજના છે. જોકે તેની સંખ્યા 55 હજાર નજીક છે. સંઘની શાખાઓના ભૌગોલિક વિસ્તાર પર સંઘ વિસ્તૃત યોજના બનાવશે. પ્રતિનિધિ સભામાં સંઘ આગામી 1 વર્ષ માટે સંઘ યોજના બનાવીને લક્ષ્ય નક્કી કરે છે. સંઘ અને તેમના અલગ અલગ સંગઠનોના મહત્વપૂર્ણ લોકો આ બેઠકમાં સામેલ થતા હોય છે. ભાજપ તરફથી સંઘની બેઠકમાં સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh