બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Repair carried out in the lane from Ellisbridge Police Station to Danapith in Ahmedabad
Mehul
Last Updated: 06:38 PM, 17 February 2022
મહાનગર પાલિકાના વહીવટી તંત્રના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદી પરના નવા એલસિબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જે લગભગ બે મહિના સુધી ચાલશે.તંત્ર દ્વારા સૌથી પહેલાં ગત ઓગસ્ટ-2019માં સુભાષબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું હતું. ગત વર્ષની દિવાળી બાદ સુભાષબ્રિજને સતત 20 દિવસ બંધ પણ રખાયો હતો. સુભાષબ્રિજ બાદ નહેરુબ્રિજને રિપેરિંગ માટે ગત તા.13માર્ચથી 20 એપ્રિલ, 2021 સુધી બંધ રખાયો હતો. નહેરુબ્રિજની કામગીરી વધુ પડકારજનક હોઈ તેને 45 દિવસ સુધી બંધ રખાયો હતો.
ત્યાર બાદ સત્તાધીશોએ ગાંધીબ્રિજનું રિપેરિંગ કામ હાથ પર લીધું હતું અને તે સવા બે મહિના ચાલ્યું હતું. ગાંધીબ્રિજ બાદ સરદારબ્રિજના રિપેરિંગ પાછળ રૂ. 80 લાખ ખર્ચાયા હતા. હવે નવા એલસિબ્રિજનું રિપેરિંગ હાથ પર લેવાયું છે.
આ માટે પહેલાં એલસિબ્રિજ પોલીસ સ્ટેશનથી દાણાપીઠ મ્યુનિ. મુખ્યાલય તરફ જતી લેનના નદી તરફના પાંચ મીટરના પટ્ટા પર રિપેરિંગ કામ હાથ ધરાયું છે. અગાઉના સરદારબ્રિજના રિપેરિંગ વખતે એએમટીએસ અને એસટીની અવરજવર બંધ રખાતાં પેસેન્જર્સ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા એટલે તંત્ર દ્વારા જે તે લેનને પૂરેપૂરી બંધ રાખવાના બદલે 10 મીટર પહોળી લેનના પાંચ મીટરના પટ્ટા પર રિપેરિંગ ચાલુ રાખીને બંને તરફના ટ્રાફિકની અવરજવર ચાલુ રખાઈ છે.
નવા એલસિબ્રિજના રિપેરિંગ પાછળ આશરે રૂ. 80 લાખ ખર્ચાશે અને તેમાં બંને લેનના 15-15 એક્સ્પાન્શન જોઇન્ટને રિપેર કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh