બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Vaidehi
Last Updated: 07:46 PM, 5 January 2023
એક વર્ષની જ રાહ જોવાની છે! રામમંદિર તૈયાર થવાની તારીખ ગૃહમંત્રી અમિત શાહે જાહેર કરી છે. તેમણે ત્રિપુરામાં જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે " 1 જાન્યુઆરી 2024 સુધી અયોધ્યામાં રામમંદિર બનીને તૈયાર થઇ જશે."
શાહે ધર્મનગરમાં જનતાને સંબોધિત કર્યું
અમિત શાહે આ ખુશ ખબર આપતાંની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ આઝાદી પછીથી જ કોર્ટમાં રામ મંદિરનાં નિર્માણનાં મામલામાં શાંત રહી છે અને આ વિવાદનો અંત PM નરેન્દ્ર મોદીનાં સત્તામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ સંભળાવ્યો છે. ત્રિપુરામાં ધર્મનગરમાં જનતાને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ આઝાદીથી જ રામમંદિરનાં મુદાને રોકી રહી છે. પીએમ મોદીનાં સત્તામાં આવ્યા પછી જ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે અને ભૂમિપૂજન બાદ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.
#WATCH | Congress hindered the construction of Ram Temple in courts...After the SC verdict came, Modiji began the construction of the temple...Ram Temple will be ready on 1st January 2024: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/d7lZ8eegwS
— ANI (@ANI) January 5, 2023
કોંગ્રેસ પર તીખાં પ્રહારો
કોંગ્રેસ પર વધુમાં નિશાનો સાધતાં શાહે જણાવ્યું કે સોનિયા-મનમોહન સરકારમાં વારંવાર પાકિસ્તાનથી ઘુસણખોરો આવીને આપણાં જવાનોને મારીને જતાં હતાં પરંતુ સરકારને કંઇ ફરક ન પડ્યો. મોદીજી આવ્યા તો ઊરી અને પુલવામામાં તેમણે ભૂલ કરી પરંતુ તેઓ ભૂલી ગયાં કે હવે અહીં મોદી સરકાર છે. 10 જ દિવસની અંદર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદીઓની ધજ્જિયા ઊડાડી દીધી હતીં.
Ram temple will be ready on January 1, 2024, Amit Shah announces in Tripura
— ANI Digital (@ani_digital) January 5, 2023
Read @ANI Story | https://t.co/pEHZTghUy1#RamTemple #AmitShah #ayodhyarammandir #Tripura #BJP pic.twitter.com/KKS89SocWm
કાશ્મીરમાં શાંતિનો માહોલ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પાકિસ્તાનને કરારો જવાબ આપવાનું કામ મોદીજી એ કર્યું. તેમણે કહ્યું કે અમે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનું કામ કર્યું. કોંગ્રેસ કહેતી હતી કે લોહીની નદીઓ વહાવવામાં આવશે પરંતુ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ