બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Ram temple in Ayodhya will be inaugurated on 22 January 2024 Invitations Gautam Adani, Mukesh Ambani and Ratan Tata Amitabh Bachchan, Akshay Kumar, Sachin Tendulkar and Virat Kohli
Pravin Joshi
Last Updated: 09:22 AM, 6 December 2023
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે. સમારોહ માટે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલ્યું છે. આ યાદીમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. 3 ડિસેમ્બરે મંદિરના પ્રથમ સ્ટેજનું કામ પૂર્ણ કરવા માટે 1 હજાર કામદારોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કામ 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.
દરેક વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
એક અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ, રિટાયર્ડ આર્મી ઓફિસર્સ, વકીલો, વૈજ્ઞાનિકો અને કવિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય સંગીતકારો, પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વ્યક્તિઓ અને સંતો અને પૂજારીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ તમામને વ્હોટ્સએપ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 8 હજાર આમંત્રિતોમાંથી લગભગ 6 હજાર દેશભરના સંતો અને પૂજારીઓ હશે. જ્યારે બાકીના 2 હજાર લોકો વિવિધ વિસ્તારોમાંથી વીવીઆઈપી હશે. અધિકારીએ કહ્યું કે સમારોહ પહેલા દરેક સાથે એક લિંક શેર કરવામાં આવશે. દરેક વ્યક્તિએ આ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પછી એક બાર કોડ જનરેટ થશે. આ બાર કોડનો ઉપયોગ એન્ટ્રી પાસ તરીકે કરી શકાય છે.
કાર સેવકોના પરિવારોને આમંત્રણ
1990માં પોલીસ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં માર્યા ગયેલા લગભગ 50 કાર સેવકોના પરિવારોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદ આ પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરશે. ટ્રસ્ટ કાર સેવકોના પરિવારો માટે ત્રણ ટેન્ટ સિટી બનાવશે, જ્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. ડઝનબંધ ઓપન કિચન પણ બનાવવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh