બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Prime Minister Narendra Modi will give a big gift to the people of Saurashtra

ગુજરાત મુલાકાત / PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ

Vishal Khamar

Last Updated: 12:44 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 પહેલા વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન રાજકોટ તેમજ દ્વારકાવાસીઓને મોટી ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 

વાળીનાથ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હાજર રહેશે
22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નીરીક્ષણ. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ. તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા આવશે. ત્યારે બાદ તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.

વધુ વાંચોઃ રાજકોટના સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડની મેચ રમાતી હતી અને પાર્કિંગમાં ચાલતું હતું જુગાર! સાત ઝડપાયા

તા. 24 તેમજ 25 દરમ્યાન વડાપ્રધાન સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ આપશે
વડાપ્રધાન મોદી તા. 24 તેમજ 25 નાં રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે.  તેમજ રાજકોટ ખાતે જાહેર સભા સંબોધશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ધાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમજ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ