બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 01:36 PM, 2 March 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સાથે જ આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં પાવર, રોડ અને રેલ્વે જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ છે, જેનો ઉદ્દેશ્ય રહેવાસીઓ માટે જીવનની સરળતામાં સુધારો કરવાનો છે.
#WATCH | At Krishnanagar, West Bengal, Prime Minister Narendra Modi says "The way TMC is working here, they have disappointed the people of West Bengal. People have continuously voted for TMC but this party has become another name for atrocities and betrayal. For TMC, the… pic.twitter.com/19rnyHystu
— ANI (@ANI) March 2, 2024
એક તરફ વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા તો બીજી તરફ મમતા સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી સરકારે બંગાળના લોકોને નિરાશ કર્યા છે. TMC અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ છે.
પશ્ચિમ બંગાળના નાદિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "ટીએમસીના કુશાસનમાં આજે માતા, માટી અને મનુષ્ય બધા રડી રહ્યા છે. સંદેશખાલીની બહેનો ન્યાય માટે આજીજી કરતી રહી પરંતુ ટીએમસી સરકારે તેમની વાત સાંભળી નહીં. રાજ્ય સરકાર સંદેશખાલીના ગુનેગારની કદી ધરપકડ થાય તેવું તેઓ ઈચ્છતા ન હતા, પરંતુ જ્યારે બંગાળની આ મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી થઈ અને ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા રહ્યા, ત્યારે રાજ્ય સરકારને નમવું પડ્યું."
#WATCH | At Krishnanagar, West Bengal, Prime Minister Narendra Modi says "The way TMC is working here, they have disappointed the people of West Bengal. People have continuously voted for TMC but this party has become another name for atrocities and betrayal. For TMC, the… pic.twitter.com/19rnyHystu
— ANI (@ANI) March 2, 2024
પીએમ મોદીએ કહ્યું, "અહીં જે રીતે ટીએમસીની રાજ્ય સરકાર ચાલી રહી છે, તેણે બંગાળને નિરાશ કર્યું છે. પશ્ચિમ બંગાળના લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે ટીએમસીને વારંવાર આટલો મોટો જનાદેશ આપ્યો, પરંતુ ટીએમસી અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. TMCની પ્રાથમિકતા બંગાળનો વિકાસ નથી પરંતુ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ છે."
આગળ પીએમ મોદીએ કહ્યું કે 'TMCનો અર્થ બદલાઈ ગયો છે. T એટલે તું, M એટલે મેં અને C એટલે કરપ્શન..ટીએમસી બંગાળના લોકોને ગરીબ રાખવા માંગે છે જેથી તેની રાજનીતિ ચાલતી રહે.
વધુ વાંચો: લોકસભા ચૂંટણી લડવી હોય તો શું કરવું પડે? જાણો ઉમેદવારી માટે શું છે નિયમો અને પ્રોસેસ
પીએમ મોદીએ કહ્યું કે બંગાળ પાસે જે હતું તે આઝાદી પછી બચ્યું નથી, જેના કારણે બંગાળ પાછળ રહી ગયું છે. છેલ્લા દસ વર્ષથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપી રહી છે. હવે બંગાળના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બમણી રકમ ખર્ચવામાં આવી છે. બંગાળના વિકાસમાં રેલવે પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime