બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kavan
Last Updated: 05:58 PM, 29 December 2021
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં પાર્ટીઓમાં જોડાવા અથવા રેસ્ટોરન્ટમાં જવા માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ અથવા ડબલ રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે. સાવંતે કહ્યું કે રાજ્ય સરકાર બુધવારે સાંજે આ નવા નિયમ અંગે વિગતવાર આદેશ જાહેર કરશે.
ગોવા સરકારનો અનોખો નિર્ણય
ગોવાના સીએમએ કહ્યું કે પ્રવાસન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને સરકાર કર્ફ્યુ કે નિયંત્રણો લાદી રહી નથી. ઓમિક્રોનના ખતરા વચ્ચે ઘણા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ અપનાવ્યો છે, ત્યારે ગોવા સરકારે તેની વિરુદ્ધ નિર્ણય લીધો છે જેથી નાતાલ-નવા વર્ષની તહેવારોની મોસમ દરમિયાન પ્રવાસન વ્યવસાયને અસર ન થાય.
પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ
નોંધપાત્ર રીતે, ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને, ગોવામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એક તરફ જ્યાં પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા સરકાર ચિંતિત છે.
ગોવા સરકાર કોવિડ-19ની સ્થિતિ પર રાખી રહી છે બાજ નજર
ગોવા સરકાર કોવિડ-19ની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને 3 જાન્યુઆરીએ યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠક દરમિયાન જરૂર પડ્યે જરૂરી પગલાં લેશે. ગોવા એક પર્યટન સ્થળ છે અને નવા વર્ષની ઉજવણી પહેલા, રાજ્યની હોટલોમાં હાલમાં લગભગ 90% લોકો છે, જ્યારે દરિયાકિનારાઓ પહેલેથી જ ભીડથી ભરેલા છે.
હોટલોમાં ઉમટ્યું માનવ મહેરામણ
ગોવાના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એસોસિએશન (TTAG)ના પ્રમુખ નિલેશ શાહે જણાવ્યું હતું કે, "હોટલ બુકિંગમાં 5 થી 7 ટકા કેન્સલેશન થયા છે, પરંતુ સિઝન એકંદરે સારી છે." તેમણે કહ્યું, 'પર્યટન ઉદ્યોગ માટે વર્ષનો અંત હંમેશા સારી સિઝન હોય છે. આ દિવસોમાં હોટલોમાં લગભગ 90% લોકોની ભીડ છે, જે નવા વર્ષ સુધીમાં વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh