બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / People suffering from constipation should eat Amla like this
Pooja Khunti
Last Updated: 02:41 PM, 26 December 2023
આમળા
સ્વસ્થ રહેવા માટે પાચન શક્તિ મજબૂત હોવી ખુબજ જરૂરી છે. પરતું આજે બદલાતી જીવનશૈલીનાં કારણે અને અયોગ્ય ખાનપાનનાં કારણે લોકોની પાચન શક્તિ નબળી થવા લાગી છે. જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય અને કલાકો સુધી ટોઇલેટની અંદર બેસી રહેવું પડતું હોય તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ આમળાનું સેવન પાચન શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિ મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે આંતરડાનાં માઇક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે. આ રીતે મળ ત્યાગ સરળ બને છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
આમળાને આ 4 રીતે આહારમાં સામેલ કરો
આમળા જ્યુસ
આમળાનું જ્યુસ બનાવવા માટે 5 થી 6 આમળાને કટ કરી ગ્રાઈન્ડ કરી લો. આ રીતે સરળતાથી આમળાનું જ્યુસ બની જશે. દરરોજ સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું જોઈએ.
આમળા પાવડર
આ માટે આમળાને તડકામાં સુકવી દો. ત્યારબાદ સુકાયેલા આમળાને મિક્સરની અંદર સરખી રીતે ગ્રાઈન્ડ કરી લો. આ રીતે આમળા પાવડર તૈયાર થઈ જશે. દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અળધી ચમચી આમળા પાવડરને હુંફાળા પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા સામે રાહત મળશે.
પલાળેલા આમળા
રાત્રે 5 થી 6 આમળાને પલાળી લો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
આમળા અને કાળું મીઠું [નમક]
તમે કાળા મીઠાં [નમક] સાથે પણ આમળાનું સેવન કરી શકો. કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh