બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / People suffering from constipation should eat Amla like this

હેલ્થ ટિપ્સ / કબજિયાત પરેશાન લોકોએ આ રીતે ખાવા જોઈએ આમળા: આંતરડાની તમામ ગંદકી થઈ જશે સાફ, શરીર રહેશે હેલ્ધી

Pooja Khunti

Last Updated: 02:41 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Constipation: આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.

  • આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે
  • સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું
  • કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે

આમળા 
સ્વસ્થ રહેવા માટે પાચન શક્તિ મજબૂત હોવી ખુબજ જરૂરી છે. પરતું આજે બદલાતી જીવનશૈલીનાં કારણે અને અયોગ્ય ખાનપાનનાં કારણે લોકોની પાચન શક્તિ નબળી થવા લાગી છે. જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય અને કલાકો સુધી ટોઇલેટની અંદર બેસી રહેવું પડતું હોય તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ આમળાનું સેવન પાચન શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિ મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે આંતરડાનાં માઇક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે. આ રીતે મળ ત્યાગ સરળ બને છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. 

આમળાને આ 4 રીતે આહારમાં સામેલ કરો 

આમળા જ્યુસ 
આમળાનું જ્યુસ બનાવવા માટે 5 થી 6 આમળાને કટ કરી ગ્રાઈન્ડ કરી લો. આ રીતે સરળતાથી આમળાનું જ્યુસ બની જશે. દરરોજ સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું જોઈએ. 

આમળા પાવડર 
આ માટે આમળાને તડકામાં સુકવી દો. ત્યારબાદ સુકાયેલા આમળાને મિક્સરની અંદર સરખી રીતે ગ્રાઈન્ડ કરી લો. આ રીતે આમળા પાવડર તૈયાર થઈ જશે. દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અળધી ચમચી આમળા પાવડરને હુંફાળા પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા સામે રાહત મળશે. 

પલાળેલા આમળા
રાત્રે 5 થી 6 આમળાને પલાળી લો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો. 

આમળા અને કાળું મીઠું [નમક]
તમે કાળા મીઠાં [નમક] સાથે પણ આમળાનું સેવન કરી શકો. કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ