બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / One more Amul Industries employee commits suicide in Rajkot, till now 3 employees have taken the last step!, reason for justice

આરોપ / રાજકોટમાં વધુ એક અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીનો આપઘાત, અત્યાર સુધીમાં 3 કર્મીઓ ભર્યું છેલ્લું પગલું!, કારણ ન્યાય

Vishal Khamar

Last Updated: 05:47 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝનાં વધુ એક કર્મચારીએ આર્થિક સંકડામણનાં કારણે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • રાજકોટમાં અમુલ ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીનો આઈપઘાત
  • પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
  • કર્મચારીઓ દ્વારા ન્યાય અપાવવા કરાઈ માંગ

રાજકોટની આજી વસાહતમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના વધુ એક કર્મચારીએ આપઘાત કર્યો છે. અને આ આપઘાત કરવાનું કારણ છે કર્મચારીઓને લાંબા સમયથી પગાર નથી આપવામાં આવ્યો. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે આર્થિક કટોકટીને કારણે હરેશ હેરભા નામના કર્મચારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કંપનીના માલિકો અને ભાગીદારોને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

ન્યાય અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઇ
લેબર કોર્ટ દ્વારા કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે આદેશ કર્યો છે. છતાં કંપનીનાં માલિકો દ્વારા રૂપિયા આપવામાં આવતા નથી. ત્યારે હજુ 400 જેટલા કર્મચારીઓનાં રૂપિયા હજુ પણ બાકી છે. સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમજ પીએફની રકમ, બાકી પગાર અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી. 

હોસ્પિટલ ખાતે કંપનીનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા

ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના પી.એમ.રૂમ બહાર મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ એકત્ર થયા હતા. અને ન્યાયની માગ કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે, કંપનીના માલિકોના અંદરોઅંદરના વિવાદનો ભોગ કર્મચારીઓ બની રહ્યાં છે. કર્મચારીઓને છેલ્લાં 1 વર્ષથી પગાર નથી ચૂકવવામાં આવ્યો. તેમજ 30 મહિનાથી PF પણ જમા કરવામાં આવ્યું નથી.

પહેલા પણ બે કર્મચારીઓ દ્વારા આત્મહત્યા કરી હતી

આ પહેલા પણ વિક્રમ બકુત્રા, અનિલ વેગડા નામના કર્મચારીઓએ આત્મહત્યા કરી લીધી હતી. અને આજે વધુ એક કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા મામલો ગરમાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ