બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On the last Monday of the holy month of Shravan, devotees throng the Somnath temple
Malay
Last Updated: 09:30 AM, 11 September 2023
Gir Somnath News: ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે.
હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શીવમય બન્યું
ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યું છે.
સોમનાથ મંદિરે ભક્તોની લાગી લાઈનો
આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર લાગી છે.
પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરાશે
આજરોજ શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી મંદિરમાં પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરાઇ છે.
શ્રાવણના સોમવારનું મહત્વ
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને પણ આ મહિનો ખૂબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવાર ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણમાં સોમવારનું મહત્વ વધુ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખવાથી, પૂજા વગેરે કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવને બેલિના પાન, ભાંગ, ધતુરા અને જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir