બ્રેકિંગ ન્યુઝ
VTV / oath taking ceremony in karnataka to be held on may 18
Last Updated: 09:54 PM, 14 May 2023
ADVERTISEMENT
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ હવે રાજ્યમાં સીએમના ઉમેદવારને લઈને અટકળો ચાલી રહી છે. જેનો હવે ટૂંક સમયમાં અંત આવી શકે છે અને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજશે તે અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આજે બેંગ્લોર ખાતે આયોજિત કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે જ રાજ્યના નવા સીએમ તરીકેનો ચહેરો નક્કી કરશે. જેને લઇને ધારાસભ્યની બેઠકમાં એક લીટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના ટેકાદારોએ હોટેલ બહાર સુત્રોચાર કર્યા હતા. મહત્વનું છે કે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને તાણખેંચ જોવા મળી રહી છે.
#WATCH | ..."Siddaramaiah, moved the single-line resolution authorising AICC president to appoint a new leader of CLP party and 135 Cong MLAs proceeded to unanimously approve his resolution. It was endorsed by DK Shivakumar also... Cong Gen Secy KC Venugopal informed Kharge about… pic.twitter.com/ktunL3e7ie
— ANI (@ANI) May 14, 2023
ADVERTISEMENT
નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ
ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આવતીકાલે સોમવારે સવારે દિલ્હી જવા રવાના થશે આ સાથે રણદીપ સુરજેવાલા અને કેસીવેણુગોપાલ સહિતના નેતાઓ પણ દિલ્હી જશે. જ્યાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગે સીએમ તરીકેના નામ ફાઇનલ કરતા પહેલા હાઈકમાન્ડ પાસેથી અભિપ્રાય જાણશે. સુત્ર પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મીના રોજ યોજાઇ શકે છે. જેમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનો પણ હાજરી આપશે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાશે. એટલું જ નહીં સમાન વિચારધારા ધરાવતા પક્ષોને પણ આમંત્રણ અપાયું છે.
#WATCH | Bengaluru: Sloganeering by the supporters of Senior Congress leader Siddaramaiah outside the Shangri-la Hotel where CLP meeting took place#KarnatakaElectionResults pic.twitter.com/jkSBPlgzwx
— ANI (@ANI) May 14, 2023
નેતા ડીકે શિવકુમારનું નિવેદન
કોંગ્રેસ ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી તરીકેના નામ પર મહોર લગાવી શકે છે. ત્યારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમારે રવિવારે લિંગાયત સમુદાયના ધાર્મિક કેન્દ્ર તુમકુર સ્થિત સિદ્ધગંગા મઠની મુલાકાત લીધા બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે.વધુમાં સિદ્ધારમૈયા સાથેના મતભેદની આફવા મામલે તેઓએ કહ્યું હતું કે મારો તેમની સાથે કોઈ મતભેદ નથી. તેમ કહી અફવાનો છેદ ઉડાવ્યો હતો.
Resolution copy of Congress CLP meeting
— ANI (@ANI) May 14, 2023
Congress Legislature Party has unanimously decided to leave the selection of Congress Legislature Party leader to the decision of the AICC President
#KarnatakaElectionResults2023 pic.twitter.com/74tpAcTrsn
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.