બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / No one can bring a bag in the Rath Yatra the drone watch tower will keep watch
Kishor
Last Updated: 08:05 PM, 17 June 2023
અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી એવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મોટા ઉત્સવ સમાનના રથયાત્રાને લઈને ધર્મપ્રેમી લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.146મી રથયાત્રાની પ્રથમ રિહર્સલ યોજાઇ હતી. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ વખતની રથયાત્રામાં કેટલાક જરૂરી ફેરફારો સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇપણ વ્યક્તિ રથયાત્રા દરમિયાન સાથે બેગ રાખી શકશે નહીં. તો 25થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.
#Rathyatra2023 pic.twitter.com/4NPNk24eNh
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
CCTV અને 3 ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે
અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રામાં સમાન્ય લોકોને અડચણ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય રથયાત્રામાં કોઈ વ્યક્તિ બેગ લઈને નહીં આવી શકે. સમગ્ર વ્યવસ્થામાં મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર શહેર પોલીસ કમિશનરે સૂચનો કર્યા હતા. જેમાં 25થી વધારે વોચ ટાવર ઊભા કરાયા. શ્રદ્ધાળુ માટે મેડિકલ વ્યવસ્થા સહિત 16 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાશે. ગત રથયાત્રામાં નાના ભૂલકાં ગુમ થયા હતા જેને લઇને જન સહાયતા કેન્દ્ર ઊભા કરવા સહિતની જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
#rathyatra2023 pic.twitter.com/22Q07vKNCU
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023
બાળકો ગુમ થવાની ઘટનાને લઈને જન સહાયતા કેન્દ્ર ઊભા કરાશે
વધુમાં રથયાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસમાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવો પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે. સાથે સાથે રથયાત્રા દરમિયાન CCTV અને 3 ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવશે, બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ અધિકારીઓ રથયાત્રામાં જોડાશે અનેરથયાત્રા દરમિયાન 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવશે.આમ લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની જાજરમાન રથયાત્રા યોજાશે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ કાબીલદાદ કામગીરી કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh