બ્રેકિંગ ન્યુઝ
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
Manisha Jogi
Last Updated: 12:17 PM, 26 February 2024
લંડનની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિંસ્ટર 200 વર્ષ જૂની યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં પ્રોફેસર નિતાશા કૌલ પોલિટીક્સ અને ઈન્ટરનેશનલ મેટર્સ ભણાવે છે. આ પ્રોફેસરને ભારતમાં એક કાર્યક્રમમાં સ્પીચ માટે બોલાવવામાં આવ્યા હતા, જેથી 12 કલાક ટ્રાવેલ કરીને બેંગ્લોર આવ્યા. નિતાશા કૌલે આરોપ મુક્યો છે કે, તેમણે એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું.
ADVERTISEMENT
નિતાશાએ જણાવ્યું કે, કર્ણાટક સરકારે ‘ભારતનું સંવિધાન અને એકતા’ વિષય પર આયોજિત સંમેલનમાં તેમની વાત રજૂ કરવા માટે બોલાવ્યા હતા. બેંગ્લોરમાં 24 અને 25 ફેબ્રુઆરીના રોજ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર નિતાશા કૌલ 23 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા, પણ તેમને એરપોર્ટની બહાર જવા દીધા નહોતા.
IMPORTANT: Denied entry to #India for speaking on democratic & constitutional values. I was invited to a conference as esteemed delegate by Govt of #Karnataka (Congress-ruled state) but Centre refused me entry. All my documents were valid & current (UK passport & OCI). THREAD 1/n pic.twitter.com/uv7lmWhs4k
— Professor Nitasha Kaul, PhD (@NitashaKaul) February 25, 2024
ADVERTISEMENT
નિતાશા કૌલ કોણ છે?
46 વર્ષીય નિતાશા કૌલ કાશ્મીરી પંડિત છે અને OCI કાર્ડહોલ્ડર છે. OCI (Overseas Citizen of India) કાર્ડહોલ્ડર ભારતના નાગરિક નથી હોતા પણ ભારતીય મૂળના છે તેવી કેટેગરીમાં ગણવામાં આવે છે.
નિતાશા કૌલનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો અને દિલ્હી યુનિવર્સિટની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 21 વર્ષની ઉંમરે માસ્ટર્સ કરવા માટે બ્રિટનની યોર્કશાયર શહેરની હુલ યુનિવર્સિટી ગઈ હતી. જ્યાંથી ઈકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું. ત્યારપછી લેખક, કવિ અને પ્રોફેસર તરીકે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાં ભણાવવા લાગી.
નિતાશા કૌલે શું આરોપ મુક્યો?
નિતાશા કૌલે ટ્વિટ કરીને આરોપ મુક્યો કે, ‘તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં ભારત સરકારે ભારતમાં પ્રવેશ આપ્યો ન હતો. ભારત, લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યો પર બોલવા માટે આવી હતી પણ બેંગ્લોર એરપોર્ટ પરથી જ પાછું જવું પડ્યું હતું. કર્ણાટક સરકારનો સત્તાવાર લેટર હોવા છતાં પ્રવેશ આપવામાં ના આવ્યો. ભારત સરકારે આ અંગે કોઈ નોટિસ જાહેર કરી નહોતી અને કોઈ જાણકારી પણ આપી નહોતી કે, તેમને બેંગ્લોરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.’
નિતાશા કૌલે વધુમાં જણાવ્યું કે, ‘ઈમિગ્રેશનની કોઈપણ જાણકારી આપ્યા વગર મને 24 કલાક સુધી એરપોર્ટ જ રાખવામાં આવી. પ્રતિબંધિત હદ સુધી CCTV કેમેરાની નજર હેઠળ આવવા જવાની મંજૂરી આપવામાં આવી. મને જે જગ્યાએ રાખવામાં આવી ત્યાં ફૂડ અને પાણી પણ સરળતાથી મળી રહેતું નહોતું. એરપોર્ટ પર ધાબળો અને ઓશિકા માટે પણ વારંવાર કોલ કરવા છતાં આપવામાં આવ્યો હતો, ત્યારપછી લંડન પાછી આવી ગઈ હતી.’
ઈમિગ્રેશન અધિકારીઓએ નિતાશા કૌલને જણાવ્યું કે, ‘દિલ્હીથી આદેશ હોવાથી તેઓ કંઈ જ નહીં કરી શકે. અનેક અધિકારીઓએ કહ્યું કે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા કરતી હોવાથી આ પ્રકારે થયું હોવાની સંભાવના છે.’ નિતાશા કૌલે જણાવ્યું કે, ‘તેમ છતાં અનેક વાર ભારત આવી છું, પણ આ પ્રકારે પહેલી વાર થયું છે કે, રાજ્ય સરકારની મંજૂરી હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.’
નિતાશા કૌલે સ્પષ્ટતા કરી હતી કે, ‘તમે મારા અગાઉના કામ જોઈ શકો છો કે, ભારત વિરોધી નથી પણ અધિનાયકવાદની વિરોધી છે અને લોકતંત્રની સમર્થક છે.’ નિતાશા કૌલે આ ટ્વિટ કરીને કર્ણાટકના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી એસ. જયશંકરને ટેગ કર્યા છે.
વધુ વાંચો: શું ખરેખર દેશમાં ઘટી રહ્યું છે ગરીબીનું પ્રમાણ? NITI આયોગે આપ્યા ગુડ ન્યુઝ, જુઓ રિપોર્ટ
ભાજપનું નિવેદન
કર્ણાટક ભાજપે આરોપ મુક્યો છે કે, ‘નિતાશા કૌલ પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખે છે. કોંગ્રેસ પાર્ટી સંવિધાનના નામ પર કાર્યક્રમનું આયોજન કરીને ભારતનું વિભાજન કરવા માંગતા લોકોને આમંત્રણ આ છે. ’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT