બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Pravin
Last Updated: 01:23 PM, 2 February 2022
બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણને 'યુપી ટાઈપ' વાળા આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ચૂંટણીની આ સિઝનમાં આ પ્રકારના નિવેદનને લઈને કોંગ્રેસે કહ્યું છે કે, નાણામંત્રીએ આવું કહીને યુપીની જનતાનું અપમાન કર્યું છે. તેમણે યુપીના લોકોને બજેટમાં કશુંયે આપ્યુ નથી પણ કમસેકમ યુપીની જનતાનું અપમાન તો ન કરો.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નિર્મલા સીતારમમ પર ટાર્ગેટ કરતા ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, નિર્મલા સીતારમણજી આપે યુપી માટે બજેટમાં કંઈ આપ્યુ નથી. ઠીક છે. પણ યુપીના લોકોનું આવી રીતે અપમાન કરવાની શું જરૂર હતી. સમજી લો. યુપીના લોકોને યુપી ટાઈપ હોવામાં ગર્વ છે. અમને યુપીની ભાષા, બોલી, સંસ્કૃતિ તથા ઈતિહાસ પર ગર્વ છે.
કોંગ્રેસે શરૂ કર્યું #યુપી મેરા અભિયાન
નાણામંત્રીની આ ટિપ્પણી બાદ કોંગ્રેસે ટ્વિટર પર જ #યુપી મેરા અભિમાનની શરૂઆત પણ કરી દીધી છે. યુપી કોંગ્રેસના ટ્વિટર હૈંડલ પર લખ્યું છે કે, નિર્મલા સીતારમણે પોતાના શરમજનક નિવેદનથી ફક્ત યુપીના બૌદ્ધિક ઈતિહાસ અને ચેતનાને નહીં, પણ સમગ્ર રાજ્યની જનતાને અપમાનિત કર્યા છે. યુપીની જનતા આ અપામનનો બદલો જરૂરથી લેશે.
#WATCH | I pity people who come up with quick responses...Just because you want to put something on Twitter, it doesn't help. He should first do something in Congress-govern states then talk about it: FM Nirmala Sitharaman on Congress leader Rahul Gandhi's comment on Budget 2022 pic.twitter.com/m90TGkq8s4
— ANI (@ANI) February 1, 2022
શું છે સમગ્ર મામલો
હકીકતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, મોદી સરકારનું બજેટ શૂન્ય છે. તેમાં સેલરી ક્લાસ, મીડલ ક્લાસ, ગરીબ-વંચિત, યુવાનો, ખેડૂતો અને એમએસએમઈ સેક્ટર માટે કશું નથી. બજેટ બાદ થયેલી પ્રેસ કોન્ફરંસમાં નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીની ટિપ્પણીનો જવાબ આપવા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને આપવા કહ્યું. તેના પર ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીને બજેટ સમજમાં નથી આવ્યું. બજેટમાં તમામ સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી છે.
નિર્મલા બોલ્યા- યુપી ટાઈપ જવાબ આપ્યો
નાણારાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબને આગળ વધારતા સીતારમણે કહ્યું કે, ચૌધરીએ ટિપિકલ યુપી ટાઈપ જવાબ આપ્યો છે. મને લાગે છે કે, યુપીથી ભાગનારા સાંસદ માટે આટલુ બસ છે. રાહુલે જે કેટેગરીનો ઉલ્લેખ કર્યો છે, તેના વિશે મેં બજેટમાં કંઈને કંઈ કહ્યું છે. નાણામંત્રી અહીંથી અટક્યા નહીં. આગળ કહ્યું કે, મને એ પાર્ટી પર દયા આવે છે, જેની પાસે એક એવા નેતા છે, જે ફક્ટ ટિપ્પણી કરવાનું જાણે છે, હું ટિકા ટિપ્પણી સહન કરવા માટે તૈયાર છું. પણ એમના માટે નહીં જે હોમવર્ક કર્યા વગર આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ