બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 08:34 PM, 5 March 2024
સુરતની મોડલ તાન્યા આઘાત મામે ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે પહોચ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરી હતી. તાન્યાનાં કોલ ડિટેઈલમાં અભિષેક શર્માએ મેસેજ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. અભિષેકે છેલ્લા 8 મહિનાથી તાન્યા સાથે વાતચીત ન કરી હતી. અભિષેક શર્મા હૈદરાબાદ સનરાઈઝર્સ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે.
કેનેડામાં ભાઈ સાથે શું વાત કરી
તાનિયાએ આપઘાતની રાતે કેનેડામાં રહેતા પોતાના ભાઈ સાથે વાત કરી હતી જોકે આ સામાન્ય વાતચીત હતી. એક ભાઈ-બહેનની જે વાતો થાય તેવી તેમની વચ્ચે થઈ હતી.
લંડનમાં રહેતી સહેલીઓ સાથે શું વાતો થઈ
આપઘાતની રાતે તાનિયાએ લંડનમાં રહેતી સહેલી સાથે મોડે સુધી વાતો કરી હતી. સહેલીએ લંડનથી સુરત પોલીસને કહ્યું છે કે ધીરે ધીરે તાન્યા ભાવુક થઈ ગઈ હતી. તાન્યા રડી રહી હતી અને કહ્યું હતું કે હવે તે આ બધું સહન નહીં કરી શકે. હકીકતમાં તાનિયાને તેના ઘરના લગ્નનું દબાણ કરી રહ્યાં હતા પરંતુ તાનિયા આ માટે સંમત નહોતી કારણ કે તે ક્રિકેટર અભિષેક શર્માને ભૂલી નહોતી શકતી.
ક્રિકેટર અભિષેકને કેવી રીતે મળી તાનિયા
આ સહેલીએ તાનિયા અને ક્રિકેટર અભિષેક શર્માની મુલાકાતને લઈને પણ ખુલાસો કર્યો છે. સહેલીએ કહ્યું કે અભિષેક સુરત રણજી ટ્રોફીની મેચ રમવા આવ્યો હતો અને ત્યાં બંનેની મુલાકાત થઈ હતી. બંનેનો સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. તાનિયાએ બ્રેકઅપ માટે પોતાની જાતને જવાબદાર ઠેરવી છે અને કહ્યું હુતં કે જો તેણે ભૂલ ન કરી હોત તો આજે અભિષેક તેની જિંદગીમાં હોત. આ પછી તાનિયાએ અભિષેકનો સંપર્ક સાધવાની કોશિશ કરી તેને મેસેજ પણ મોકલ્યાં પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહોતો.
સુરતના છોકરા સાથે પણ કરી વાત
તાનિયાએ જે ત્રીજા વ્યક્તિ સાથે વાત કરી હતી તે સુરતનો ઈવેન્ટ મેનેજર મિતેશ છે જ્યારે મિતેશે ફોન કર્યો ત્યારે તાનિયા લંડનની સહેલી સાથે ફોન પર હતી અને તેણે તરત ફોન કાપીને મિતેશ સાથે વાતો કરી, મિતેશ સાથે વાતો બાદ તેણે ફરી સહેલીને ફોન કર્યો હતો. મિતેશ સાથે તાનિયાની શું વાતો થઈ તે પણ એક રહસ્ય છે.
વધુ વાંચોઃ હવે આદિવાસી પટ્ટામાં ઓપરેશન લોટસનો વાયરો, આ દિગ્ગજ નેતા માટે તખ્તો તૈયાર, હાઈલેવલ બેઠકથી અંદેશો
કાનમાં ઈયરફોન લગાવીને તાનિયાએ આપઘાત કર્યો
20 ફેબ્રુઆરીની સવારે મળી તાનિયાની લાશ સુરતના તેના ઘેરથી મળી હતી. ઘરમાં હાજર તેના પિતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ મોડે સુધી દરવાજો ન ખોલતાં તેમણે દરવાજો તોડી નાખીને અંદર જોયું ત્યારે તેમની આંખો ફાટી રહી કારણ કે તાનિયા પંખે લટકતી હતી. તાનિયાએ કાનમાં ઈયરફોન લગાવીને જ આપઘાત કર્યો હતો. જ્યારે પોલીસે તેની લાશ નીચે ઉતારી ત્યારે તેના કાન પર ઈયરફોન જોવા મળ્યાં હતા. એટલે કે તે કાં તો મોબાઇલ ફોન પર કોઇની સાથે વાત કરતી હતી અથવા તો કોઈની વાત સાંભળતી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime