બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 02:06 PM, 2 August 2023
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપી ઇસ્માઇલ હજાતને ફાંસીની સજા ફટકારી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. હાલ નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો મૃતદેહ
સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે પાડોશી ઇસ્માઇલની કરી હતી ધરપકડ
બાળકી દરરોજની જેમ પાડોશમાં રહેતા પિતાના મિત્ર ઇસ્માઇલ યુસુફના ઘરે સોમવારે સાંજે રમવા માટે ગઈ હતી અને બાદમાં મૃત હાલમાં મળી આવી હતી. જેથી પોલીસે પાડોશી ઇસ્માઈલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમની મહેનત બાદ ઇસ્માઇલ યુસુફ હજાતને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. તો બાળકીના મૃતદેહને પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, આરોપીએ બાળકીના શરીરના અંગો પર ઈજા પહોંચાડી હતી. પોતાના મોબાઈલમાં ઈજા કઈ રીતે પહોંચાડી તેનો વીડિયો પણ ઉતાર્યો હતો
પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં તૈયાર કરી ચાર્જશીટ
જેથી સચીન પોલીસે માસુમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપી ઇસ્માઇલ હજાતને જેલભેગો કરી ચાર્જશીટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી દીધી હતી. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દીધી હતી. સરકારપક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહિનાના ટૂંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime