બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
ParthB
Last Updated: 05:00 PM, 19 July 2021
MPના CM બદલવાની વાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે છેલ્લા દિવસોમાં MPના CM બદલવાની વાત કરી છે. રવિવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે MPના CM બદલવામાં આવી શકે છે. લોકોને સંભવિત નામો વિશે પણ પૂછ્યું હતું. સાથે જ કહ્યું કે જો તમે નહીં કહો તો હું સોમવારે બતાવી દઇશ. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહે પોતાની આ ટ્વિટમાં બે નામનો ઉલેખ્ખ કર્યો છે. આ બંને નામ ચોંકાવનારા છે.
आजकल भाजपामोदीशाह अपने मुख्यमंत्रियों को बदल रहे हैं।
— digvijaya singh (@digvijaya_28) July 18, 2021
मध्यप्रदेश में भी कुछ हमारे भाजपा के अपने आप को योग्य समझने वाले नेताओं की उम्मीदें बढ़ गई हैं। कितने और कौन कौन मप्र भाजपा में उम्मीदवार हैं कोई हमें बता सकता है?
नहीं बताओगे तो मैं कल सूचि दे दूँगा।
પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા
આજે એટલે કે સોમવારે તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે MP ભાજપમાં હવે મુખ્યમંત્રી તરીકે માત્ર બે જ ઉમેદવાર રહ્યા છે. મોદીજીના ઉમેદવાર પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. બાકીના ઉમેદવારો પ્રતિ મારી સહાનુભૂતિ છે. સાથે જ તેમણે લખ્યું છે કે મામાનું જવું નક્કી. દિગ્વિજય સિંહની આ ટ્વિટ હવે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.
अब मप्र भाजपा में मुख्यमंत्री के लिए केवल दो ही उम्मीदवार दौड़ में रह गए हैं।
— digvijaya singh (@digvijaya_28) July 19, 2021
मोदी जी के उम्मीदवार
प्रल्हाद पटेल
व संघ के उम्मीदवार
बीडी शर्मा
बाक़ी उम्मीदवारों के प्रति मेरी सहानुभूति है।
मामू का जाना तय।
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કરી આ વાત
વધુમાં જણાવીએ તો આ ચર્ચા તેમણે એક દિવસ પહેલા જ કરી હતી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે MPના મુખ્યમંત્રી બદલાઈ શકે છે. રવિવારે તેમણે આ મુદે ટ્વિટ કરી અને સોમવારે સંભવિત દાવેદારોના નામ પણ બતાવી દીધા. પણ આ ઘટના પછી ભાજપના કોઈ પણ નેતાઓની પ્રતિક્રિયા નથી આવી.
બીજી બાજુ શિવરાજે એક દિવસ પહેલા કહ્યું હતું કે હું દિગ્વિજયની વાતો પર ટિપ્પણી નથી કરતો, ત્યારબાદ હસતાં મોઢે શિવરાજ સિંહ ચૌહાણ નીકળી ગયા હતા. આ ચર્ચા એક મહિના પહેલા જ થઈ હતી. એ સમયે ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે MPના નેતા શિવરાજસિંહ ચૌહાણ જ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ