બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / moose wala be married next month amandeep kaur punjabi singer sidhu moose wala murder

શૉકિંગ / આવતા મહિને થવાના હતા મુસેવાલાના લગ્ન, કેનેડામાં રહેતી આ યુવતી સાથે થઈ હતી સગાઈ

Arohi

Last Updated: 06:08 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંજાબી સિંગર મુસેવાલાના લગ્ન સંગરુરનાની સાંઘરેડી ગામની એક યુવતી સાથે થવાના હતા. કેનેડામાં રહેતી સંગરુરની એક યુવતી સાથે તેની સગાઈ થઈ હતી.

  • મુસેવાલાના થવાના હતા લગ્ન 
  • કેનેડામાં રહે છે યુવતી 
  • થઈ હતી બન્નેની સગાઈ 

પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા બાદ સામે આવ્યું છે કે તે આવતા મહિને લગ્ન કરવા જઈ રહ્યો હતો. સિંગર સિદ્ધૂ મુસેવાલાની સગાઈ સંગરુરના સાંઘરેડી ગામની એક યુવતી સાથે થઈ હતી. અકાલી દળના વરિષ્ઠ નેતાની ભત્રીજી સાથે મુસેવાલાની સગાઈ થઈ હતી. મુસેવાલાના લગ્ન આ વર્ષની શરૂઆતમાં થવાના હતા. જો કે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાના કારણે તેને ટાળવામાં આવ્યા હતા.

સિક્રેટ રાખી હતી લગ્નની વાત 
પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાએ પોતાના રિલેશનશિપ પાર્ટનર અને લગ્ન વિશેની વાત સિક્રેટ રાખી હતી. મુસેવાલાના પરિવારે પણ તેને સંપૂર્ણ ગુપ્ત રાખ્યું હતું. જોકે મુસેવાલાની હત્યા બાદ યુવતીના ગ્રામજનોએ આ અંગે વાત કરી હતી. સિદ્ધૂના દુઃખદ અવસાનથી તેમના પરિવારમાં એક મોટો ખાલીપો પડી ગયો છે. તેની હત્યા બાદ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છે. તેના ચાહકો ખૂબ જ આઘાત અને દુઃખી છે.

મુસેવાલાના લગ્ન ક્યારે થવાના હતા?
28 વર્ષીય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મુસેવાલાની હત્યાએ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સને ઝાટકો આપ્યો છે. પંજાબના માનસા જિલ્લાના જવાહરના ગામમાં રવિવાર, 29 મેના રોજ અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. સૌથી દુખની વાત એ છે કે તેની હત્યા તે સમયે કરવામાં આવી જ્યારે તેના લગ્ન થવાના હતા. 

મુસેવાલાના કોની સાથે થવાના હતા લગ્ન?
મળતી માહિતી મુજબ પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા આ વર્ષની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ માર્ચમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગર મુસેવાલાના લગ્ન સંગરુરના સાંઘરેડી ગામની અમનદીપ કૌર સાથે થવાના હતા. અમનદીપ કૌર કેનેડામાં રહે છે અને પીઆરનું કામ કરે છે. બંનેએ લગભગ બે વર્ષ પહેલા સગાઈ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ