બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Many roads were washed away due to rain in Banaskantha district
Kishor
Last Updated: 09:33 PM, 24 June 2023
બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે અનેક જગ્યાએ કાચા રસ્તા પણ ધોવાઈ જતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. પરિણામે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. અમીરગઢ તાલુકામાં અનેક ગામડાઓમાં જતા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે વાહન ચાલકો જઈ શકતા નથી. તેમજ પગપાળા પણ લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. અમીરગઢનાં ખાટીચિત્રા ગામે જવાનો 4 કિલો મીટર રસ્તો ધોવાયો છે.આ ગામે જવા માટે પાકો રસ્તો નથી પરંતુ જે કાચો રસ્તો હતો એ પણ ધોવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બાળકોને શાળામાં જવા માટે તેમજ સ્થાનિક લોકોને દવાખાને જવા માટે પણ મુશ્કેલ બન્યુ છે.
પર્વતીય વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોને ભારે હાલાકી
વિકાસ વિકાસની વાતો વચ્ચે એક એવું ગામ છે જ્યાં હજુ સુધી પણ વિકાસનો જન્મ જ થયો નથી! જે ગામનું નામ છે અમીરગઢ તાલુકાનું ખાટીચિત્રા ગામ. આ ગામના લોકો વર્ષોથી માંગણી કરી રહ્યા છે પરંતુ પાકો રસ્તો બનાવવામાં આવે પરંતુ તંત્રને આ દિશામા કાર્યવાહી કરવામા માટે આજ સુધી ફુરસદ મળી નથી. આઝાદી બાદ પણ આ ગામમાં જવા માટે હજુ સુધી કાચો રસ્તો જ છે 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં હજુ પણ લોકો એક પાકા રોડની માંગ કરી રહ્યા છે.
ચોમાસામાં અને ઇમરજન્સીમાં સ્થિતિ ભારે વિકટ બનતી હોય છે: સ્થાનિક
આંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢના ખાટીચિત્રા ગામમાં પર્વતીય વિસ્તારોમાં છુટા છવાયા આદિવાસી સમાજના જે લોકો રહે છે તેમને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દર ચોમાસામાં અહીંયા રસ્તાઓ ધોવાઈ જાય છે અને સ્થાનિક લોકો પોતે જાત મહેનત કરી રસ્તો બનાવતા હોય છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ રસ્તો બનાવવાની કોઈ દરકાર લેવામાં આવી નથી. વાલીઓ વેદના ઠાલવતા કહ્યું કે બાળકોને સ્કુલે જવું હોય તો મુશ્કેલી પડી રહે છે. લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે પાકો રોડ બનાવવામાં આવે પરંતુ અનેક રજૂઆતો છતાં અનેક રાજકીય નેતાઓના વચનો આપ્યા હોવા છતાં આ રોડ હજુ સુધી બન્યો નથી. કઠણાઈ તો ત્યારે થઇ કે કાચો રસ્તો જે હતો તે ધોવાઈ જવાથી બાળકોને સ્કૂલે મુકવા જવામા લોઢાના ચણા ચાવવા બરાબર થયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime