બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / lucknow super giants mohsin khan delay in surgery could have led to amputation tspo
Kishor
Last Updated: 04:29 PM, 17 May 2023
IPL 2023 ની મેચને લઈને અનેક સ્ટાર ખેલાડીઓ ચર્ચામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે મંગળવારે રાત્રે આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સને યશસ્વી જીત અપાવવા બદલ હાલ મોહસીન ખાન પણ ચર્ચામાં આવ્યા છે. આ યુવાન ખેલાડીએ મુંબઈ ઇન્ડિયન સામેની મેચમાં છેલ્લી ઓવરમાં આવકારદાયક બોલીંગ કરીને લખનૌની ટીમને પાંચ રનને જીતાડી હતી. મેચના હીરો રહ્યા બાદ મોહસીન ખાને પોતાની બીમારી અંગે વાત કરી હતી. આ વેળાએ તે ભાવુક થઈ ગયા હતા. બીમારીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે જો ડોક્ટરો પાસે જવામા વિલંબ કર્યો હોત તો તેનો હાથ કાપવાની નોબત આવી પડત!
Ending the home stretch in Lucknow on a winning note 👍
— IndianPremierLeague (@IPL) May 16, 2023
A lap of honour 🙌
From @LucknowIPL to all their fans - with love ☺️ 👏#TATAIPL | #LSGvMI pic.twitter.com/q3DVoToAaP
લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી
ગઈકાલે (તા. 16 મેં) મા રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રન કરવાના હતા. આ દરમિયાન ડેવિડ અને કેમરોન ગ્રીન જેવા તોફાની બેટિંગ માટે વખણાતાં બેટ્સમેન હતા. પરંતુ મોહસીને શાનદાર બોલિંગ કરી પોતાની કાબેલિયતબ દર્શન કરાવ્યા હતા અને પોતાના અંદાજમા બોલિંગ કરતા રન બનાવવા મુશ્કેલ બન્યા હતા અને લખનૌની 5 રને જીત થઇ હતી. આ જીત સાથે લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઈ છે.
એક સમયે ક્રિકેટ રમવા પરથી ભરોસો જ ઉડી ગયો
તેજ બોલર મોહસીન ખાને ગત વર્ષે પોતાના ખંભાની સર્જરી કરાવી હતી. પરિણામે તેના જમણા ખંભા પર લોહીની ગાંઠો થઈ ગઈ હતી અને તે શરૂઆતના સમયગાળામાં આઇપીએલ રમી શક્યો ન હતો. આ વેળાએ મોહસીન ખાને કહ્યું હતું કે એક સમયે ક્રિકેટ રમવા પરથી ભરોસો જ ઉડી ગયો હતો કારણે કે હાથ ઉપર પણ થતો ન હતો. અનેક કોશિશ છતાં પણ હાથ ઉપર થતો ન હતો. આ સમયને યાદ કરતા પણ ડારામણું ચિત્ર ઊભું થતું હોવાનો મોહસીને ઉલ્લેખ કર્યો હતો. કારણ કે જો મેં સર્જરીમાં વધુ એક મહિનાનો વિલંબ કર્યો હોત, તો મારો હાથ પણ કાપવો પડે તેમ હતો. તેવો ડોકટરોએ દાવો કર્યો હતો.
કોઈ ક્રિકેટરને આવી બીમારી ન થવી જોઈએ
યુવા ફાસ્ટ બોલર મોહસીને કહ્યું કે કોઈ ક્રિકેટરને આવી બીમારી ન થવી જોઈએ. આ વિચિત્ર રોગમાં મારી ધમનીઓના લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી મારી ધમનીઓ સંપૂર્ણપણે બંધ હતી. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના રાજીવ શુક્લા (લખનૌ સુપર જાયન્ટ્સ)એ મારા પરિવારને ખૂબ સહકાર આપ્યો હતો. મોહસીન ખાનના કરિયરની વાત કરવામાં આવે તો તેઓએ 2020 માં મધ્યપ્રદેશ સામે યુપી માટે રણજી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના એકમાત્ર રણજી મેચમાં તેમણે બે વિકેટ ઝડપી હતી અને 50 ઓવરમાં 7 ફેબ્રુઆરી 2018માં મહારાષ્ટ્ર સામે ડેબ્યુ કર્યું હતું જેમાં 38 ટી 20 મેચમાં 49 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh