બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / kuber mantra to get kuber dev blessings and immense wealth luxury life

વધશે સમૃદ્ધી / વધુ રૂપિયા કમાવવા હોય તો કરો કુબેરના આ મંત્રના જાપ, નાણાકીય અડચણો થશે દૂર

Premal

Last Updated: 03:47 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને નાણાની દેવી અને કુબેરને ધનના દેવતા માનવામાં આવ્યાં છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જીવનમાં નાણાની વર્ષા થાય છે. જો માણસ પર તેની હંમેશા કૃપા રહે તો તેને ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

  • માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જીવનમાં નાણાની થાય છે વર્ષા
  • આ મંત્રજાપ કરવાથી જીવનમાં ક્યારેય નાણાભીડ સર્જાતી નથી
  • વધુ પૈસા કમાવવા માટે કુબેરના મંત્રનો જાપ કરવો જોઈએ

જ્યોતિષ મુજબ આ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે તેના દરરોજ જાપ કરવાથી જીવનમાં ક્યારેય નાણાભીડ સર્જાતી નથી. 

માલામાલ કરવાનો મંત્ર

'ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વવણાય ધનધાન્યાધિપતયે
ધનધાન્યસમૃદ્ધીં મે દેહિ દાપય સ્વાહા ||'

આ ભગવાન કુબેરનો અમોઘ મંત્ર છે. માન્યતા છે કે આ 35 અક્ષરવાળા મંત્રનો દરરોજ ઓછામાં ઓછી એક માળા જાપ કરવાથી જાતકની બધી આર્થિક પરેશાનીઓ ખત્મ થઇ જાય છે. આ મંત્રનો ઓછામાં ઓછા 3 મહિના સુધી સતત જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે મંત્ર જાપના સમયે મોંઢૂ દક્ષિણ દિશા તરફ રાખવુ જોઈએ. 

'ઓમ શ્રી હ્રીં ક્લીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: ||'

વધુ પૈસા કમાવવા માટે કુબેરના આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી બધી સુખ-સુવિધાઓ મળે છે. કહી શકીએ કે લક્ઝુરિયસ જીવન જીવવાની ઈચ્છા ધરાવનારા લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

' ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમ: ||'

આ અષ્ટ લક્ષ્મી કુબેર મંત્ર છે. જેનો જાપ કરવાથી માતા લક્ષ્મી અને કુબેર દેવ બંનેની કૃપા મળે છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી વ્યક્તિના જીવનમાં ફક્ત ધન-વૈભવ નહીં પરંતુ પદ-પ્રતિષ્ઠા પણ મળે છે. આ મંત્રનો જાપ આમ તો દરરોજ કરવો જોઈએ પરંતુ શુક્રવારે રાત્રે ખાસ કરીને આ મંત્રની સાધના કરો. ટૂંક સમયમાં ફરક દેખાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ