બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / Know what the meteorological department has predicted regarding unseasonal rain and heat
Malay
Last Updated: 03:50 PM, 9 April 2023
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ થતાં હવામાનમાં થોડી તાઢક હતી. જોકે, હવે હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. આ સાથે જ હવામાન વિભાગે કમોસમી કમઠાણની પણ આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
દિવસ ગરમીનો પારો પણ વધશે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અને આવતીકાલે ગરમીનો પારો વધશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ-સૂકા પવનો શરૂ થયાં છે. રાજ્યમાં 2 દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. અમદાવાદમાં આગામી દિવસ સુધી ગરમીનો પારો 39થી 40 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. ગઈકાલે રાજ્યમાં 39.9 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. સુરેન્દ્રનગરમાં 39.5, સુરત અને વડોદરામાં પણ 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કપાસ, જીરું, ચણાં, ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.
ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સહાય જાહેર થશેઃ રાઘવજી પટેલ
મહત્વનું છે, રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. પાક નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ગતરોજ જામનગરની મુલાકાતે આવેલા રાજ્યના કૃષિમંત્રીએ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં માવઠાનો સર્વે પૂર્ણ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે. કુદરતી આપતી વખતે સરકાર ખેડૂતોની સાથે છે. ખાતર, બિયારણ, ટેકાથી પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir