બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / know how to make wish in nandi ears

માન્યતા / મહાદેવના મંદિરમાં નંદીના કાનમાં મનોકામના કહેવાની સાચી રીતે કઈ? મોટા ભાગના લોકો કરે છે ભૂલ, જાણી લો-તરત મળશે રિઝલ્ટ

Manisha Jogi

Last Updated: 02:21 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવ મંદિરમાં શિવલિંગની સામે નંદીજી બિરાજમાન હોય છે. નંદીની પૂજા વગર ભગવાન શિવની પૂજાને અધૂરી માનવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની પૂજા કરે છે
  • શિવના મંદિરની બહાર નંદી જરૂરથી હોય છે
  • નંદીની પૂજા વગર ભગવાન શિવની પૂજાને અધૂરી માનવામાં આવે છે

હિંદુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવના મંદિરની બહાર નંદી જરૂરથી હોય છે. નંદીજી કૈલાશ પર્વતના દ્વારપાળ છે. શિવ મંદિરમાં શિવલિંગની સામે નંદીજી બિરાજમાન હોય છે. નંદીની પૂજા વગર ભગવાન શિવની પૂજાને અધૂરી માનવામાં આવે છે. 

તમે ઘણી વાર જોયું હશે કે, લોકો શિવ મંદિરમાં જઈને નંદીના કાનમાં કંઈક કહેતા હોય છે. નંદીના કાનમાં ધીરેથી મનોકામના બોલવામાં આવે છે. માનવામાં આવે છે કે, નંદીના કાનમાં મનોકામના કહેવાથી પૂર્ણ થાય છે. નંદીના કાનમાં કોઈ વાત કહેવાની એક ખાસ રીત હોય છે, જે અંગે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ પ્રકારે નંદીના કાનમાં વાત કહેવાથી મનોકામના પૂર્ણ થાય છે. 

નંદીના કાનમાં વાત કહેવાની યોગ્ય રીત

  • અનેક વાર લોકો ભગવાન શિવની પૂજા કરીને ઘરે જતા રહે છે. ભગવાન શિવની સાથે નંદીની પૂજા કરવી જરૂરી છે. શિવલિંગની પૂજા કર્યા પછી નંદીની પૂજા જરૂરથી કરવી જોઈએ. નંદીની સામે દીવો જરૂરથી કરવો જોઈએ. શિવજીની સાથે સાથે નંદીની પણ આરતી કરવી જોઈએ. 
  • પૂજા કર્યા પછી વાતચીત ના કરવી અને નંદીના કાનમાં મનોકામના કહેવી. માનવામાં આવે છે કે, શિવજી મોટાભાગે તપસ્યામાં લીન રહે છે. તપસ્યામાં વિધ્ન ના પડે તે માટે લોકો નંદીના કાનમાં વાત કહે છે. ત્યાર પછી નંદી શિવજી સુધી પહોંચે છે. માનવામાં આવે છે કે, શિવજીએ નંદીજીને વરદાન આપ્યું હતું કે, જે વ્યક્તિ તારા કાનમાં તેમની મનોકામના કહેશે, તેમની ઈચ્છા પૂર્ણ થશે. 
  • નંદીના કાનમાં મનોકામના કહેતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, મનોકામના ડાબા કાનમાં બોલવી. ડાબા કાનમાં મનોકામના બોલવી તે શુભ માનવામાં આવે છે. 
  • તમે નંદીના કાનમાં મનોકામના કહો ત્યારે ખાસ રાખવું કે, મનોકામના અયોગ્ય ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિના અહિતની મનોકામના ના માંગવી. નંદીના કાનમાં મનોકામના કહ્યા પછી નંદીજીની સામે પૈસા, ફળ અથવા મિઠાઈ જરૂરથી અર્પણ કરવા જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ