બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Kendra Rajyog after 100 years, boon for min mesh and sinh rashi

જ્યોતિષ શાસ્ત્ર / 100 વર્ષ બાદ બન્યો આવો અદભૂત સંયોગ: આ ત્રણ રાશિના જાતકો માટે વરદાન સમાન છે આટલા દિવસ, પડી જશે જલસા

Vaidehi

Last Updated: 09:47 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોની યુતિથી અનેક શુભ-અશુભ રાજયોગનું નિર્માણ થાય છે. વર્તમાનમાં 2 ગ્રહો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યાં છે જાણો કઈ રાશિને થશે લાભ?

  • 100 વર્ષ પછી બની રહ્યો છે રાજયોગ
  • 2 ગ્રહો કેન્દ્ર રાજયોગ બનાવી રહ્યાં છે
  • ગ્રહોની યુતિનો પ્રભાવ રાશિઓ પર પડે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગ બનવાને લીધે મેષ રાશિથી લઈને મીન રાશિનાં જાતકો પર પ્રભાવ પડે છે પરંતુ કેટલાક લોકોને આ સમયગાળો ભાગ્ય ખોલી દે છે. મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને શુક્ર તો પહેલાથી જ એ રાશિમાં વિરાજમાન છે. આ બંને ગ્રહો એકસાથે આવ્યાને લીધે 100 વર્ષો બાદ આ શક્તિશાળી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે.

100 વર્ષો બાદ બનતા ત્રિકોણ રાજયોગથી  આ રાશિઓને ફાયદો:

મેષ
મેષ રાશિનાં જાતકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને તમને કંપનીમાં પ્રમોશન પણ મળી શકે છે. લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. વ્યવસાયમાં કરવામાં આવેલ રોકાણ વ્યક્તિનાં જીવનમાં લાભકારી પરિણામો આપશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સુખદ પરિણામ મળશે. 

સિંહ
સિંહ રાશિનાં જાતકો માટે નોકરી બદલવાનો અને પોતાના વર્તમાન કાર્યસ્થળમાં ઓળખ બનાવવાનો સમય છે. જો તમારા વ્યવસાયમાં કેટલાક કામ પેન્ડિંગ છે જે પ્રગતિમાં બાધારૂપ છે તો તેને જલ્દી પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન અથાગ મહેનત કરવી ફાયદાકારક રહેશે અને તમારા સાથીની સાથે સુખી જીવન વ્યતિત કરવાની શક્યતા પણ છે. પરિવારમાં ઉત્સાહ જળવાઈ રહેશે.

ધનુ
રાજયોગનાં કારણે ધનુરાશિનાં જાતકોને જીવનમાં સમૃદ્ધિનો અનુભવ થશે અને કરિયરમાં વાસ્તવિક સફળતા મળશે. નવી વ્યાવસાયિક ગતિવિધિઓમાં રોકાણ કરવું અને જીવનની કપરી પરિસ્થિતિઓને સારી કરવાનો આ ઉત્તમ સમય રહેશે. કાર્યસ્થળ પર જ્ઞાનનો ઉપયોગ જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ