બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / Karolibagh police sent the husband and wife to a mental health hospital who went to file a theft complaint
Malay
Last Updated: 03:08 PM, 14 September 2022
વડોદરાના એક દંપતીને પોલીસનો કડવો અનુભવ થયો છે. ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા પતિ-પત્નીને કારોલીબાગ પોલીસે માનસિક અસ્વસ્થ જણાવી કાઉન્સેલીંગ માટે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલી દીધા હતા. જોકે, હોસ્પિટલના ડોક્ટરે દંપતીની માનસિક સ્થિતિ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
ઘરમાંથી 20.91 લાખના દાગીનાની ચોરી
વડોદરાના સલાટવાડાના માળી મહોલ્લામાં રહેતા દિનેશ માળીના પુત્રવધૂનું જૂન મહિનામાં અવસાન થયું હતું. જે બાદ પુત્રવધૂને ઘરેણા પહેરાવીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રા બાદ તે દાગીનાને કબાટમાં મૂક્યા હતા. જુલાઈ મહિનામાં દિનેશ માળીના પત્ની રમીલાબેને કબાટ ખોલતા 20.91 લાખના દાગીના ગાયબ હતા. જે બાદ દિનેશભાઈ અને તેમના પત્ની રમીલાબેન કારોલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. તે સમયે તેમની ફરિયાદને બદલે પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી.
ફરિયાદ નોંધવાને બદલે મોકલ્યા મેન્ટલ હોસ્પિટલમાં
વડોદરા શહેરના માળી સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું કે, પોલીસ ગુનો નોંધતી ન હોવાથી દિનેશભાઈ તેમના પત્ની અને મોટાભાઈ વારંવાર પોલીસ સ્ટેશનમાં જતા હતા. એ સમયે તપાસ મહિલા પીએસઆઈ ચૌધરી કરતા હોવાનું પીઆઈ વિજય દેસાઈ જણાવતા હતા. વારંવાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા જતા ફરિયાદ નોંધવાને બદલે પોલીસે ફરિયાદીઓને માનસિક અસ્વસ્થ હોવાનું જણાવી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે મોકલી આપ્યા હતા. કારેલીબાગ માનસિક આરોગ્યની હોસ્પિટલના ડોક્ટરે પોતાના રિપોર્ટમાં રમીલાબેન માળી અને દિનેશ માળીની માનસિક સ્થિતિ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.
પોલીસ કમિશનરને પણ કરી રજૂઆત
તેઓ વધુમાં જણાવ્યું કે, PI વિજય દેસાઈ પોલીસ કમિશનરના માનીતા અધિકારી હોવાથી કાર્યવાહી નથી થતી, ઘરના કબાટમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાનો ગુનો પોલીસ દ્વારા આજદિન સુધી નોંધવામાં ન આવતા અમે આ મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે. હવે અમને કારોલીબાગ પોલીસ પર કોઈ ભરોસો નથી, અમારી ફરિયાદને હવે તાત્કાલિક ધોરણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime