બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / kalashtami 2023 date and time also know some astrology remedies

Kalashtami 2023 / જીવનમાં ગ્રહોની અશુભ દ્રષ્ટિથી છો પરેશાન, કાલાષ્ટમી પર આ ઉપાય કરો, ખુશીથી ભરી જશે જિંદગી

Bijal Vyas

Last Updated: 12:35 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kalashtami 2023: કાલાષ્ટમી વ્રતના દિવસે બે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ ખાસ દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે
  • અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 10 જૂને બપોરે 02:01 વાગ્યે શરૂ થશે
  • આ દિવસે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પણ રાખવામાં આવશે

Kalashtami 2023: હિંદુ ધર્મમાં કાલાષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રાખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શિવના રુદ્રાવતાર કાલ ભૈરવની વિધિવત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે વ્યક્તિને માનસિક તણાવ, અનિદ્રા અને અનેક પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળી જાય છે. આવો જાણીએ કે, ભગવાન કાલ ભૈરવની પૂજાનો સમય અને શનિ-રાહુની કુદ્રષ્ટિથી મુક્તિના ઉપાય...

 

કાળભૈરવને પ્રસન્ન કરવા માટે આજની રાત્રિ શ્રેષ્ઠ, આર્થિક સંકટ દૂર કરવા માટે  કરો આ ઉપાય | masik kalashtami 2022 remedies to get kaal bhairav blessings  and rid of all life troubles

કાલાષ્ટમી 2023 વ્રત તિથિ 
હિંન્દુ પંચાગ અનુસાર, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 10 જૂને બપોરે 02:01 વાગ્યે શરૂ થશે અને 11 જૂને બપોરે 12:05 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કાલાષ્ટમી વ્રત 10 જૂન 2023 શનિવારના રોજ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ દિવસે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પણ રાખવામાં આવશે.

કાલાષ્ટમી 2023  વ્રતનો શુભ યોગ 
પંચાંગમાં જણાવેલ અનુસાર, કાલાષ્ટમી વ્રતના દિવસે બે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ ખાસ દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જણાવી દઇએ કે, આ શુભ યોગ સવારે 05:23 થી બપોરે 03:39 સુધી રહેશે.

આ જગ્યાએ છે દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ, જાણો કયા મંત્ર જાપથી મળશે  પુણ્ય | Know The Importance Of The Kal Bhairav Temple at Ujjain

ગ્રહશાંતિ માટે કરો ભગવાન કાલ ભૈરવની પૂજા 
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, શનિ અને રાહુના કારણે ઉત્પન્ન થતા અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવની પૂજા વિશેષ ફળદાયી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. પરંતુ જે વ્યક્તિ પૂર્ણ ભક્તિથી તેની પૂજા કરે છે, તેની મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ