બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 12:35 AM, 10 June 2023
Kalashtami 2023: હિંદુ ધર્મમાં કાલાષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રાખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શિવના રુદ્રાવતાર કાલ ભૈરવની વિધિવત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે વ્યક્તિને માનસિક તણાવ, અનિદ્રા અને અનેક પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળી જાય છે. આવો જાણીએ કે, ભગવાન કાલ ભૈરવની પૂજાનો સમય અને શનિ-રાહુની કુદ્રષ્ટિથી મુક્તિના ઉપાય...
કાલાષ્ટમી 2023 વ્રત તિથિ
હિંન્દુ પંચાગ અનુસાર, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 10 જૂને બપોરે 02:01 વાગ્યે શરૂ થશે અને 11 જૂને બપોરે 12:05 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં કાલાષ્ટમી વ્રત 10 જૂન 2023 શનિવારના રોજ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ દિવસે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પણ રાખવામાં આવશે.
કાલાષ્ટમી 2023 વ્રતનો શુભ યોગ
પંચાંગમાં જણાવેલ અનુસાર, કાલાષ્ટમી વ્રતના દિવસે બે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ ખાસ દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. જે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જણાવી દઇએ કે, આ શુભ યોગ સવારે 05:23 થી બપોરે 03:39 સુધી રહેશે.
ગ્રહશાંતિ માટે કરો ભગવાન કાલ ભૈરવની પૂજા
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, શનિ અને રાહુના કારણે ઉત્પન્ન થતા અવરોધોથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવની પૂજા વિશેષ ફળદાયી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે. પરંતુ જે વ્યક્તિ પૂર્ણ ભક્તિથી તેની પૂજા કરે છે, તેની મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime