બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / japan earthquake tsunami: What is the connection between an eartquake and tsunami
ADVERTISEMENT
The video is said to be from #Japan. Situation looks terrifying..#Ishikawa #Earthquake #Tsunami#緊急地震速報 pic.twitter.com/ai5QEBLUCB
— Mr Sinha (@MrSinha_) January 1, 2024
ADVERTISEMENT
જાપાનનાં ઈશિકાવા પ્રાંતનાં નોટોમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ બાદ તરત જ ઈશિકાવામાં સુનામીની ચેતવણી પણ આપી દેવામાં આવી. ભૂકંપનાં ઝટકા જાપાનની રાજધાની ટોક્યો અને કાંટો ક્ષેત્ર સુધી અનુભવાયા હતાં. જાપાની સાર્વજનિક પ્રસારક NHKએ સુનામીની ચેતવણી બાદ 5 મીટર સુધીની લહેરો થવાની સંભાવના દર્શાવતાં લોકોને તટીય વિસ્તારો છોડવા અને બિલ્ડિંગ અથવા ઊંચી જગ્યાઓ પર સ્થળાંતરિત થવા માટે અનુરોધ કર્યો હતો.
Terrible situation in #Japan.#tsunami alert..#緊急地震速報 pic.twitter.com/GtFTBdMSON
— Mr Sinha (@MrSinha_) January 1, 2024
ADVERTISEMENT
સુનામી આવે કેવી રીતે છે?
પ્રાકૃતિક આફતોમાં સુનામી સૌથી ખતરનાક માનવામાં આવે છે. સુનામીની સ્પીડ જેટથી પણ વધારે તેજ હોય છે. ત્યારે હવે એ સવાલ ઊઠે છે કે સુનામી આવે કેવી રીતે છે? સુનામી શબ્દ જાપાની શબ્દ તુસ એટલે કે તટ અને નામી એટલે કે લહેરને મળાવીને બન્યો છે. સુનામી આવવાનું સૌથી મોટું કારણ સમુદ્રની અંદર ભૂકંપ આવવું, જ્વાળામુખી ફાટવું, બ્લાસ્ટ થવો કે લેંડસ્લાઈડ થવી વગેરે માનવામાં આવે છે. તેના લીધે સમુદ્ર કિનારે ભારે મુશ્કેલીઓ પેદા થવા લાગે છે.
ADVERTISEMENT
富山市 萩浦橋 津波到達中 pic.twitter.com/5TJkH4E1Mx
— 鈴木 一 (@hioooomn) January 1, 2024
ADVERTISEMENT
ભૂકંપ અને સુનામી વચ્ચેનો સંબંધ
સમુદ્રી તટ પર જ્યારે ભૂકંપ અથવા તો કોઈ કારણોસર ધરતી પર ભારે ધ્રુજારી થાય છે ત્યારે પાનીની કોલમ ખસકવા લાગે છે. આ બાદ વાઈબ્રેશનથી 500 કિમી/કલાકની સ્પીડથી લહેર પેદા થાય છે. જ્યારે આ લહેર કિનારાની તરફ વધે છે ત્યારે તેની સ્પીડ ઓછી થવા લાગે છે પણ ઊંચાઈ ઘણી વધારે હોય છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દુનિયાની 80% સુનામી પ્રશાંત મહાસાગરનાં રિંગ ઓફ ફાયર ઝોનમાં આવે છે. ભૂકંપ અને જ્વાલામુખીનાં લીધે આ ક્ષેત્ર વધુ સક્રિય ક્ષેત્ર છે. તેથી આસપાસનાં વિસ્તારમાં સૌથી વધારે સુનામી આવે છે. પાણીની અંદર સુનામીની સ્પીડ ઉપરની સપાટીની સરખામણી ઘણી વધારે હોય છે.
વાંચવા જેવું: જાપાનમાં 7.5ના ભૂકંપ બાદ ત્રાટકેલી સુનામીનો પહેલો વીડિયો આવ્યો સામે, જુઓ તાંડવ
ADVERTISEMENT
પ્રશાંત મહાસાગરમાં 3/4 સુનામી આવે છે
ચોંકાવનારી વાત તો એ છે કે પાણીમાં સુનામીની સ્પીડ 800 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. ક્યારેક તો સુનામી એક દિવસની અંદર આખું મહાસાગર પાર કરી લે છે. જ્યારે જમીન કે પાણીમાં આ સ્પીડ 23થી 45 કિમી/કલાક સુધીની રહે છે. દરેક તટીય ક્ષેત્ર અને નદી આસપાસ સુનામીનો ખતરો રહે છે પણ સીધો મેગાથ્રસ્ટનો સામનો કરનારા કિનારાઓ પર આ સંભાવના સૌથી વધારે હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર દુનિયાની લગભગ 3/4 સુનામી પ્રશાંત મહાસાગરમાં આવે છે જ્યાં મેગાથ્રસ્ટ ઘણી સામાન્ય વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.