બ્રેકિંગ ન્યુઝ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો
કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ
VTV / ગુજરાત / ભાવનગર / Jagdish Thakor's big statement about Yuvraj Singh, said has taken a new turn
Vishal Khamar
Last Updated: 11:58 PM, 25 April 2023
ભાવનગર ડમીકાંડ મુદ્દે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, યુવરાજસિંહ ડમીકાંડ બહાર લાવ્યા, તોડકાંડ બાદમાં બહાર આવ્યો. આ પહેલા પણ 27 જેટલા પેપર ફૂટવાની ઘટનાઓ બની છે. સરકાર પરીક્ષા મામલે નિષ્ફળ ગઈ છે. હવે ડમી કાંડ ઉમેદવાર કાંડમાં પણ નવો વળાંક આવ્યો છે. ત્યારે સરકાર આ કૌભાંડ કેમ ચાલે છે તે શોધી નથી શકતી. પેપરકાંડમાં એક પણ વ્યક્તિને દાખલો બેસે તેવી કાર્યવાહિ કરી નથી.
પેપર ફોડનાર એકપણ વ્યક્તિને કાયદાકીય અસરકારક સજા નથી કરીઃ જગદીશ ઠાકોર
ડમીકાંડ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જે રીતે ડમીકાંડ પેપરનાં મુદ્દાઓ છે. એ રીતે ઘણા સમયથી આ કૌભાંડ ચાલે છે. અને કહેવાય છે કે મધ્યપ્રદેશનાં વ્યાપમ ગોટાળા કરતા પણ આ વ્યાપક ડમીકાંડ હોય, પેપર ફૂટવાનાં બનાવો તોય ગુજરાતમાં બની રહ્યા છે. આ બની કેમ રહ્યા છે. તે સરકાર શોધતી નથી. 27-27 પેપરો ફૂટ્યા એ પેપર ફોડનાર એકપણ વ્યક્તિને કાયદાકીય એવી અસરકારક સજા નથી કરી કે ગુનો દાખલ નથી કર્યો. કે જેથી વિદ્યાર્થીઓને ભરોસો બેસે કે સરકાર આ પેપર ફોડવાવાળાની સામે ગંભીર છે.
60 ટકા લોકોને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છેઃ જગદીશ ઠાકોર
ભાઈ યુવરાજ જાડેજા પોતે આ સમગ્ર બાબતો બહાર લાવ્યા. અને પછીનો જે એપિસોડ થયો. કે એમણે રૂપિયા લીધા, માંગણી કરી અને એ બધુ થયું જ. મારે કહેવું છે સરકારને કે તમારી પાસે જે કંઈ આ તમારી એક રૂમમાં બેસીને જે તપાસ કરો છો. બે પાંચ દસ મીડિયાનાં લોકોને હાજર રાખી તપાસ કરોને. દાખલો એવો તો બેસાડો કે ગુનેગારને અમે છોડવાનાં નથી. પણ સાથે સાથે જે બેરોજગાર યુવાનો હતાશ થઈ ગયા. 17 લાખ લોકોએ નોકરીઓ માટેનાં ફોર્મ ભર્યા. અને એમાં 40 ટકા લોકોએ પરીક્ષા આપી. કારણ કે સરકારમાંથી 60 ટકા લોકોને ભરોસો ઉઠી ગયો. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાંચા આપવાનું કામ આવનારા દિવસોમાં મે મહિનામાં કોંગ્રેસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh