બ્રેકિંગ ન્યુઝ
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
VTV / ભારત / Politics / રાહુલ ગાંધી માટે રાયબરેલીની સીટ પર જીત મેળવવી કંઇ આસાન નથી! ચૂંટણી દર ચૂંટણીએ વધ્યો છે ભાજપનો દબદબો
Last Updated: 08:12 AM, 4 May 2024
છેલ્લી ચૂંટણીઓમાં અમેઠીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવ્યા બાદ, ભાજપ હવે તેમના નવા મતવિસ્તાર રાયબરેલીમાં તેમને ઘેરવામાં વ્યસ્ત છે. ભાજપે સ્થાનિક નેતા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિનેશ પ્રતાપ સિંહને કોંગ્રેસમાં ઉતાર્યા છે. અત્યાર સુધી જ્ઞાતિ સમીકરણો અહીં બહુ અસરકારક રહ્યા નથી, પરંતુ આ વખતે ભાજપ રાહુલ ગાંધીને ઘેરવા માટે તેમના પર વધુ ભાર આપી રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસનો ગઢ ગણાતા રાયબરેલીમાં આ વખતેરાહુલ ગાંધીપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યાએ ચૂંટણી લડ્યા છે .રાહુલ ગાંધી પણ કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાહુલ સામે સ્થાનિક ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ પર દાવ લગાવ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની 2014ની જીતનું માર્જિન અડધું કરી દીધું હતું. આ પછી ભાજપે તેમને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બનાવ્યા.
ADVERTISEMENT
કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ હવે ભાજપ સાથે છે અને દિનેશ પ્રતાપ સિંહ એમએલસી તરીકે ચૂંટાયા હોવાથી તેઓ ગામના વડાઓમાં સારી પકડ ધરાવે છે. આ સિવાય રાયબરેલીના ઘણા મોટા કોંગ્રેસી નેતાઓ હવે ભાજપ સાથે છે. અહીંના કોંગ્રેસના અગ્રણી નેતા અખિલેશ કુમાર સિંહની પુત્રી અદિતિ સિંહ હવે રાયબરેલીથી બીજેપી ધારાસભ્ય છે. રાયબરેલીમાં બછરાવના, હરચંદપુર, રાયબરેલી, સારેની અને ઉંચાહર એમ પાંચ વિધાનસભા મતવિસ્તાર છે. જેમાંથી રાયબરેલી સિવાય સપાના ચાર ધારાસભ્યો જીત્યા હતા. તેમાંથી એક ઉંચાહરના ધારાસભ્ય મનોજ પાંડેએ રાજ્યસભાની ચૂંટણીને લઈને સપાના મુખ્ય દંડક પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપની નજીક છે. તેમના ભાઈ અને પુત્ર ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી ગાંધી પરિવારને સામાજિક સમીકરણોથી આગળ વધીને વોટ મળ્યા છે, પરંતુ આ વખતે ભાજપરાહુલ ગાંધીનેઘેરવા માટે આ સમીકરણો પર કામ કરી રહ્યું છે .બીજેપીનું માનવું છે કે અન્ય સમુદાયોની સાથે ઓબીસી સમુદાયનો મોટો વર્ગ પણ તેની સાથે રહેશે.
ચૂંટણી પ્રચારમાં ભાજપ રાહુલ ગાંધી પર અમેઠીમાં હારનો આરોપ પણ લગાવી રહી છે. આ સિવાય વાયનાડ અને રાયબરેલીમાં રાહુલ ગાંધી કોને પોતાની સાથે રાખશે તેને પણ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
સોનિયા ગાંધીની સામે પણ ભાજપે દરેક ચૂંટણીમાં પોતાની તાકાત વધારી છે. તેને 2009માં ત્રણ ટકા વોટ મળ્યા હતા, જે 2014માં વધીને 21 ટકા થઈ ગયા હતા. 2019માં આ આંકડો 38 ટકા પર પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં ભાજપ 12 ટકા વધુ વોટ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનું માનવું છે કે સોનિયા ગાંધીની જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે અને લોકો ગાંધી પરિવારથી દૂર રહેવા લાગ્યા છે. હવે તેમાં વધુ વધારો થશે.
બ્રાહ્મણ 11
રાજપૂત 09
યાદવ 07
મુસ્લિમ 06
લોધ 06
કુર્મી 04
દલિત 34
અન્ય 23
( ટકાવારીના તમામ આંકડા)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT