બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / ishqbaaz fame actor malhar pandya will divorce wife priya patidar after 9 years of marriage

મનોરંજન / 'ઇશ્કબાજ' ફેમ એક્ટરના 9 વર્ષ જૂના સંબંધો એકઝાટકે પૂરા, પત્ની પ્રિયા પાટીદાર સાથે લેશે તલાક

Manisha Jogi

Last Updated: 10:33 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોરંજન જગતમાં છેલ્લા ઘણા સમયથી અનેક જોડીઓ ડાયવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. કુશા કપિલાએ પતિ જોરાવર સાથે ડાયવોર્સની જાહેરાત કરી હતી. હવે અન્ય એક જોડી અલગ થવા જઈ રહી છે.

  • મનોરંજન જગતમાં અનેક જોડીના અલગ થવાના સમાચાર સામે આવ્યા
  • લગ્નના 9 વર્ષ અલગ થશે આ જોડી
  • કુશા કપિલાએ પણ ડાયવોર્સની જાહેરાત કરી હતી

મનોરંજન જગતમાં છેલ્લા ઘણા સમયથી અનેક જોડીઓ ડાયવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કુશા કપિલાએ પતિ જોરાવર સાથે ડાયવોર્સની જાહેરાત કરી હતી. હવે અન્ય એક જોડી અલગ થવા જઈ રહી છે. ‘ઈશ્કબાઝ’ ફેમ એક્ટર મલ્હાર પંડ્યા લગ્નના 9 વર્ષ પછી તેમની પત્ની પ્રિયા પાટીદારથી અલગ થઈ રહ્યા છે. 

લગ્નના 9 વર્ષ પછી અલગ થઈ રહ્યા છે
મીડિયા રિપોર્ટ અનુસાર મલ્હાર પંડ્યા અને પ્રિયા પાટીદારે ડિસેમ્બર 2014માં લગ્ન કર્યા હતા. લગ્નના 9 વર્ષ પછી આ જોડી વર્ષ 2023ના અંતમાં ડાયવોર્સ માટે અરજી આપશે. રિપોર્ટ અનુસાર બંને એક વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર ‘લોકડાઉન દરમિયાન બંને વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા. એક વર્ષથી અલગ રહે છે, એકબીજાના કોન્ટેક્ટમાં નથી અને એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યા. આ કપલ આ વર્ષના અંત સુધીમાં ડાયવોર્સ માટે અરજી આપશે.’

મલ્હારનું નિવેદન
મલ્હાર છેલ્લે વર્ષ 2020માં રાધાકૃષ્ણમાં જોવા મળ્યા હતા. અભિનેતા તેમના પરિવાર સાથે US જતા રહ્યા છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ‘ભારતમાં જે કંઈપણ થયું, મલ્હાર તેમાંથી બ્રેક લેવા માંગે છે. બંને પરિવાર એકબીજા સાથે જોડાયેલ છે અને તેમને આ નિર્ણય વિશે ખબર છે.’

પ્રિયાએ ડાયવોર્સની વાત કન્ફર્મ કરી
મલ્હારે આ બાબતે કોઈ જાણકારી આપી નથી. પ્રિયાએ વિક્રમ મોન્ટ્રોઝની સિંગલ ‘તસવીર’માં ગીત ગાયું હતું. પ્રિયાએ કન્ફર્મ કર્યું છે કે, ‘હાં આ વાત સાચી છે હવે અમે સાથે રહેતા નથી, પરંતુ હું કોઈપણ જાણકારી આપવા માંગતી નથી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ