બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / is it right to sleep in the evening disadvantages of sleeping in the evening

જાણવા જેવુ / સંધ્યાકાળે સુવાની કેમ ન પાડે છે ઘરના વડીલો? ધાર્મિકની સાથે સાથે જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

Premal

Last Updated: 11:56 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે જીવનમાં પ્રગતિ કરવી છે તો ભૂલથી પણ સાંજે એક કામ ક્યારેય ના કરવુ જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી માં લક્ષ્મી સહિત બધા દેવી-દેવતા સાથે છોડીને જતા રહે છે.

  • તમારે પ્રગતિ કરવી છે તો આ કામ ભૂલથી પણ ના કરતા
  • સાંજના સમયે ક્યારેય પણ ઊંઘશો નહીં 
  • નહીંતર માં લક્ષ્મી સહિત બધા દેવી-દેવતા છોડીને જતા રહેશે 

સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે?

અવાર-નવાર વડીલો-વૃદ્ધો સાંજે ઊંઘતી વખતે ટોકે છે. ઘણાના મગજમાં એવો સવાલ આવતો હશે કે તેઓ આવુ કેમ કરે છે. શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ છે અથવા બધી કારણ વગરની વાતો છે. આજે અમે આ અંગે વિસ્તૃતપૂર્વક જણાવીએ છીએ. તમને સ્પષ્ટ રીતે જણાવીશું કે સાંજના સમયે ઊંઘવા પર વાંધો કેમ દર્શાવવામાં આવે છે અને તેની પાછળ વાસ્તવિક કારણો કયા છે. 

સાંજે ઊંઘવાથી આરોગ્યને થાય છે નુકસાન 

મેડિકલ નિષ્ણાંત મુજબ સાંજે ઊંઘવાથી આપણી રાતની ઊંઘ અને પાચન તંત્ર બંને બગડે છે. જો તમે સાંજે ઊંઘી જશો તો તમને રાત્રે ઊંઘ આવશે નહીં. જેનાથી તમે આખી રાત પડખા બદલતા રહેશો. તો સાંજે ઊંઘવાથી અને રાત્રે જાગવાથી તમારા શરીરનુ પાચન તંત્ર પણ બગડી જાય છે. જેનુ નુકસાન તમારે જાતે ઉઠાવવુ પડે છે. તેનાથી તમારા આરોગ્યને નુકસાન થાય છે.

દેવી-દેવતાઓને નથી મળતો આશીર્વાદ 

હવે જાણીએ કે સાંજે ન ઊંઘવાનુ ધાર્મિક કારણ શું છે. શાસ્ત્રો મુજબ સવાર અને સાંજનો સમય ઈશ્વરની આરાધનાનો હોય છે. કહેવામાં આવે છે કે સાંજના સમયે માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માં દુર્ગાનુ ઘરમાં આગમન થાય છે. જો કોઈ આ સમય દરમ્યાન ઊંઘતુ હોય તો તેવા લોકોને આ ત્રણેય દેવીઓના આશીર્વાદથી વંચિત રહેવુ પડે છે. આ સાથે નક્કી સમય કર્યા બાદ ઈશ્વરની આરાધના ન કરવાનુ પાપ પણ તેને ભોગવવુ પડે છે. 

બીજા દિવસે ભોગવવી પડે છે મુશ્કેલીઓ 

સાંજે ન ઊંઘવાનુ એક મુખ્ય કારણ એ પણ હોય છે કે સવારના સમયે સૂર્ય નારાયણ ઉગ્યા બાદ તમે પૂરી તાજગી-શક્તિ સાથે કામધંધામાં જોડાઈ જાઓ છો. તો સાંજે સૂર્યાસ્ત સમયે તમે આ બધા કાર્યોને સમેટવામાં જોડાવો છો. એવામાં જો તમે સાંજે ઊંઘી જશો તો આ કામને પૂર્ણ કરી શકશો નહીં અને બીજા દિવસે ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડેલો હશે. જેને કારણે તમારે બીજા દિવસે તમામ પરેશાનીઓનો સામનો કરવો પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ