બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS r ashwin back in odi squad after 21 months for 3 match

ક્રિકેટ / IND vs AUS: વર્લ્ડ કપ પહેલા 37 વર્ષના સ્ટાર પ્લેયરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, ફેન્સ થઈ ગયા અચંબિત

Arohi

Last Updated: 03:36 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે રમાવવા જઈ રહેલી 3 વનડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ માટે કરવામાં આવી રહી છે. આ ટીમમાં 37 વર્ષના એક ખેલાડીને શામેલ કરવામાં આવ્યો છે.

  • 37 વર્ષીય સ્ટાર ખેલાડી રમશે
  • ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની એન્ટ્રી
  • ફેન્સ થઈ ગયા અચંબિત

22 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના સામે રમાવવા જઈ રહેલી 3 વનડે મેચોની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેર કરવામાં આવી છે. પહેલી બે વનડે મેચો માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. 

ત્યાં જ કેએલ રાહુલ શરૂઆતની બે મેચોમાં ટીમની કમાન સંભાળશે. ત્યાં જ આ રીસિઝ માટે ટીમ ઈન્ડિયામાં 37 વર્ષના એક ખેલાડીને શામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ 21 મહિનાથી ટીમ ઈન્ડિયા માટે એક પણ વનડે મેચ નથી રમી. 

37 વર્ષના ખેલાડીની ચમકી કિસ્મત 
વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વની છે. આ મેચ ભારતમાં રમાશે જે વર્લ્ડ કપની તૈયારી કહી શકાય છે. આ સીરિઝમાં 37 વર્ષના દિગ્ગજ સ્પિનર આર અશ્વિનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. 

આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી વનડે મેચ ગયા વર્ષે જાન્યુઆરીમાં રમી હતી. અક્ષર પટેલ હાલ ઈજાગ્રસ્ત છે. જેના કારણે સિલેક્ટર્સે આ મોટો નિર્ણય કર્યો છે. 

113 વનડે મેચ રમવાનો અનુભવ 
આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 113 વનડે મેચ રમી છે. આ મેચોમાં આર અશ્વિને 33.49ની સરેરાશથી 151 વિકેટ લીધી છે. ત્યાં જ આ સમયે તેમણે 707 રન બનાવ્યા છે. આર અશ્વિન ટીમ ઈન્ડિયા માટે 94 ટેસ્ટ અને 65 ટી20 મેચ પણ રમી ચુક્યા છે. ટેસ્ટમાં તેમણે 489 અને ટી20માં 72 વિકેટ પોતાના નામે કરી છે. 

પહેલા બે વનડે મેચ માટે ભારતની ટીમ 
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મો સિરાજ, પ્રસીધ કૃષ્ણ.

ત્રીજી વનડે મેચ માટે ભારતીય ટીમ 
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર , કુલદીપ યાદવ, આર અશ્વિન , જસપ્રિત બુમરાહ , મો શમી , મો સિરાજ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ