બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 05:00 PM, 25 February 2024
આવતીકાલે એટલે કે તા. 25 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રથમ એઈમ્સનું રાજકોટમાં લોકાર્પણ કરવાનાં છે. જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. હવે આઈપીડીઓ સેવા પણ આગામી માર્ચ મહિનામાં શરૂ થવા જઈ રહી છે. એઈમ્સમાં હાલ 250 બેડની IPD ની સુવિધા તૈયાર છે. આ સેવા શરૂ થતાની સાથે જ દર્દીઓેને આધુનિક સારવાર મળી રહેશે.
વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
રાજકોટ એઈમ્સનાં લોકાર્પણને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તા. 25 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરશે. જેથી આગામી સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દર્દીઓને OPD બાદ IPD સારવાર પણ રાજકોટ એઈમ્સ ખાતે મળી રહેશે.
250 બેડની સુવિધા સાથે ઓપીડી શરૂ કરાશે
ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટ ખાતે નિર્માણ પામી રહી છે. ત્યારે રાજકોટ ખાતે 200 એકર જગ્યાા 1200 કરોડથી વધુનાં ખર્ચે એઈમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી રાજકોટ એઈમ્સ ખાતે 50 બેડની હોસ્પિટલની સુવિધા ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ બાદ રાજકોટ એઈમ્સ ખાતે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધા સાથેની ઓપીડી પણ શરૂ કરવામાં આવશે.
વધુ વાંચોઃ ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોને પડશે મોટો માર, નહીં કરી શકે ઉનાળુ ખેતી, જાણો કારણ
લોકોને તેઓનાં રોગનું નિદાન ઝડપી મળી શકશે
બે વર્ષથી ચાલી રહેલ રાજકોટ એઈમ્સનું હવે તા. 25 નાં રોજ લોકાર્પણ થવાનું છે. ત્યારે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધા સાથે તૈયાર થઈ રહેલ એઈમ્સનો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓને તેનો સીધો લાભ થશે. એઈમ્સમાં ઓપરેશન થીયેટર, સીટીસ્કેન, એક્સ-રે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉબલબ્ધ હોવાથી લોકોને તેઓનાં રોગનું નિદાન ઝડપી મળી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh