બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Khyati
Last Updated: 05:05 PM, 23 July 2022
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં ઓબીસી અનામત બચાવોના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઓબીસી સમાજને લઇને સરકાર પર કેટલાક પ્રહારો કર્યા હતા.
ઓબીસીને 27 % અનામત આપવામાં આવે - અમિત ચાવડા
અમિત ચાવડાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં 52 % OBC વસ્તી છે,છતાં OBCને યોગ્ય બજેટ કે યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી.OBC સમાજને ગ્રામ પંચાયત લેવલે સ્થાન મળ્યું નથી. OBCને 27 % અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપના શાસનમાં OBCને 1% રકમ ફાળવવામાં આવી નથી.
માંગ નહી સંતોષાય તો આંદોલનની ચીમકી
રાજ્ય સરકાર દ્વારા SC STને બજેટ આપવામાં સ્થાન આપવામાં આવે છે તે રીતે OBCને પણ આપવામાં આવે. OBC સબ પ્લાન સમિતિ બનાબવામાં આવે તેવી માંગ કરી હતી.ઉપરાંત સરકારી ખાતામાં કોન્ટ્રાક્ટ ભરતી થાય તેમાં પણ OBC ને સ્થાન આપવામાં આવે.OBC સમાજની આ દરેક માંગ નહીં સંતોષાય તો રોડ પર ઉતરીને આંદોલન કરવાની પણ અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી.
ક્રોસ વોટિંગ કરનાર સામે કાર્યવાહી કરીશું- અમિત શાહ
તો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ક્રોસ વોટિંગ બાબતે જણાવ્યું કે કોણ કોણે ક્રોસ વોટિંગ કર્યુ તેની તપાસ ચાલી રહી છે.તપાસ બાદ ક્રોસ વોટિંગ કરનાર સામે કાર્યવાહી કરીશું. તો કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદન અંગે જણાવ્યું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
કદીર પીરઝાદાના નિવેદનનો હવે કોઇ પ્રશ્ન નથી રહેતો
તો આપ દ્વારા 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવા મુદ્દે જણાવ્યુ કે આ સપના બતાવવામાં આવ્યા છે. તો કદીર પીરઝાદાએ નરેશ પટેલ અંગેના નિવેદન મામલે દિલગીરી વ્યક્ત કરી હતી. એટલે હવે કોઇ પ્રશ્ન રહેતો નથી તેમ જણાવ્યું હતું.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાઇ રહેશે- અમિત ચાવડા
તો આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ કે ગુજરાતમાં માત્ર બે પક્ષ ભાજપ અને કોંગ્રેસને જ લોકો અપનાવશે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ રહેશે, આ વખતનું ઇલેક્શન ઐતિહાસિક બની રહેશે. પરિવર્ત સર્જનારું ઇલેક્શન રહેશે.કોંગ્રેસ આ વખતે બહુમતી સાથે જીતી સત્તામાં આવશે,આપની જાહેરાતમાં ગુજરાતની જનતા નહીં ભોળવાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા