બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / If a dog bites you, you will get a compensation of 10000 for each tooth mark
Kishor
Last Updated: 07:42 PM, 14 November 2023
દેશના મોટાભાગના શહેરોમાં રખડતા શ્વાનના ત્રાસ વચ્ચે હરિયાણા પંજાબ હાઇકોર્ટનો મહત્વનો આદેશ સામે આવ્યો છે. જેમાં જણાવાયા અનુસાર હવે કોઈ વ્યક્તિને રખડતા શ્વાન બચકા ભરશે તો તેના દાંતના નિશાનના બદલામાં સરકારે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની રાહત રકમ આપવી જોઈએ. વધુમાં બચકા દરમિયાન વધુ માંસ બહાર આવ્યું હોય તો 20 હજાર ચુકવવા જણાવાયું છે.
આ મામલામાં પ્રશાસન જ જવાબદાર રહેશે
એક બાજુ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ઓક્ટોબર મહિનામાં જ પ્રખ્યાત ચા કંપની વાઘ બકરીના સીઈઓ પરાગ દેસાઈ પર રખડતા કૂતરાના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી રખડતા કૂતરાઓના હુમલાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સિવાય ગાઝિયાબાદમાં તાજેતરમાં જ એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને રખડતા શ્વાન મામલે કોર્ટ સતર્ક થઈ છે. રખડતા શ્વાન અને ઢોરના ત્રાસને લઈ સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠતા હોય છે આવી સ્થિતિ વચ્ચે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મામલામાં પ્રશાસન જ જવાબદાર રહેશે.
ખડતા ઢોરને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો
રખડતા પશુઓના હુમલાના કેસમાં કેટલું વળતર આપવું તે નક્કી કરવા માટે એક સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે સુનવણી દરમિયાન એવું પણ જણાવ્યું કે રખડતા પશુઓના પગલે અકસ્માતો અને હુમલાઓના કેસમાં વળતર મામલે સમિતિ બનાવી અને આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર, એસડીએ, ટ્રાફિક પોલીસના એસપી અથવા ડીસીપી જેવા અધિકારીઓને પણ સમાવેશ કરવો જોઈએ અદાલતનો આ ફેંસલો ત્યારે આવ્યો છે. જ્યારે રખડતા ઢોરને લઈને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh